કોલંબિયાએ સત્તાવાર નિવેદન પાછું ખેંચ્યું, પાકિસ્તાન માટે વધુ એક હાર
બોગોટા (કોલંબિયા), નવી દિલ્હી, 31 મે (હિ.સ.). અંતે કોલંબિયાએ, પોતાનું સત્તાવાર નિવેદન પાછું ખેંચ્યું. આ નિવેદનમાં, ભારતીય હુમલાઓ પછી પાકિસ્તાનમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતીય સંસદીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલ
કોલંબિયાના નાયબ વિદેશ પ્રધાન યોલાન્ડા વિલાવિસેનીયો સાથે શશી થરુર


બોગોટા (કોલંબિયા), નવી દિલ્હી, 31 મે (હિ.સ.). અંતે કોલંબિયાએ, પોતાનું સત્તાવાર નિવેદન પાછું ખેંચ્યું. આ નિવેદનમાં, ભારતીય હુમલાઓ પછી પાકિસ્તાનમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતીય સંસદીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા શશી થરૂરે, કોલંબિયાના સત્તાવાર નિવેદન પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, અમે (ભારત) કોલંબિયા સરકારના પ્રતિભાવથી થોડા નિરાશ છીએ.

ભારતીય પ્રતિનિધિમંડળને મળ્યા બાદ, કોલંબિયાના નાયબ વિદેશ પ્રધાન યોલાન્ડા વિલાવિસેનીયોએ કહ્યું, અમને વિશ્વાસ છે કે આજે અમને મળેલી સ્પષ્ટતા અને વાસ્તવિક પરિસ્થિતિ, સંઘર્ષ અને કાશ્મીરમાં જે કઈ બન્યું, તે અંગે અમારી પાસે હવે જે વિગતવાર માહિતી છે, તેના આધારે અમે વાતચીત ચાલુ રાખી શકીશું. થરૂરે કોલંબિયા દ્વારા પોતાનું સત્તાવાર નિવેદન પાછું ખેંચવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આતંકવાદને કોણ સમર્થન આપી શકે છે.

આ ઉપરાંત, પાકિસ્તાનના દંભનો જવાબ આપવા માટે પશ્ચિમ આફ્રિકાના દેશ સિએરા લિયોન પહોંચેલા ભારતીય સંસદીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે કાર્યકારી વિદેશ પ્રધાન ફ્રાન્સિસ પી. અલ્ઘાલી સાથે ચર્ચા કરી. પ્રતિનિધિમંડળે તેમને પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સીધી ભૂમિકાના વિવિધ પાસાઓથી વાકેફ કર્યા. આ પ્રસંગે અલ્ઘાલીએ, આતંકવાદ સામે લડવા અને શાંતિ જાળવવા માટે ભારતના સંકલિત પ્રયાસોને ટેકો આપ્યો. પ્રતિનિધિમંડળના સભ્ય, ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે તેમના એક્સ હેન્ડલ પર તેમની સિએરા લિયોન મુલાકાતનો સંક્ષિપ્ત અહેવાલ શેર કર્યો છે.

ફ્રીટાઉનમાં, ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, આ એક નવું ભારત છે. આ નવું ભારત અટકતું નથી. ઝૂકતું નથી. પાપોને માફ કરતું નથી. નવું ભારત યોગ્ય જવાબ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, નવું ભારત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે દરેક પ્રકારની કાર્યવાહી કરવા સક્ષમ છે. આતંકવાદ એક વૈશ્વિક મુદ્દો છે. તેથી જ ભારતીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોની મુલાકાત લઈ રહ્યા છે.

આ પ્રતિનિધિમંડળના અન્ય સભ્ય, બીજુ જનતા દળના સાંસદ સસ્મિત પાત્રાએ કહ્યું કે, પહેલગામ હુમલો પીડાદાયક છે. તેમણે કહ્યું કે, એક આતંકવાદી આવે છે. પતિને તેના ધર્મ વિશે પૂછે છે અને તેને ગોળી મારી દે છે. પત્ની કહે છે કે મને પણ મારી નાખો, હું કેમ જીવીશ? આતંકવાદી ફરીને મહિલાને કહે છે, હું તને નહીં મારીશ, જા અને આ વાત તારી સરકારને કહો. પછી ઓપરેશન સિંદૂર આવ્યું. અમે પાકિસ્તાનમાં ઘૂસીને તેમના પર હુમલો કર્યો. આ નવું ભારત છે. મારા પર વિશ્વાસ કરો, આ નવું ભારત છે અને અમે નવા ભારતનો ચહેરો છીએ.

કોપનહેગન (ડેનમાર્ક) શિવસેના (યુટીબી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, તે મુંબઈ શહેરની છે. મુંબઈમાં આતંકવાદી હુમલા થયા, કેટલી સ્ત્રીઓ તેમના પતિ વિના રહી ગઈ? એક મહિલા તરીકે, તેની મને અસર થઈ છે. તેનાથી પાકિસ્તાન પ્રત્યેનો મારો અભિગમ બદલાઈ ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande