પોરબંદર, 2 જૂન (હિ.સ.) રાણાવાવ તાલુકાના બીલેશ્વર ગામ નજીક આવેલ આસિયાપાટ વિસ્તારમાં તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તંત્ર દ્વારા છેલ્લા 3 વર્ષથી સરકારી જમીનમાં પેશકદમી કરી આંબાનું વાવેતર દૂર કરવામાં આવ્યું હતું. આ ડીમોલેશનમાં અંદાજે 5 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાઈ હતી. પોરબંદર જીલ્લામાં હાલ સરકારી, ગૌચરની જમીન પર થયેલ પેશકદમી દુર કરવાની ઝુંબેશ ધમધમી રહી છે ત્યારે વહીવટી વિભાગ દ્વારા પેશકદમી કરેલ શખ્સોને પેશકદમી દૂર કરવા પણ સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
આ સર્વે બાદ પેશકદમી કરેલ શખ્સોને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર જીલ્લામાં ગ્રામ્ય પંથકમાં ડીમોલેશન ઝુંબેશ ચાલી રહી છે. પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના બીલેશ્વર ગામ નજીક આવેલ આસિયાપાટ વિસ્તારમાં હાઇવે ટચ સરકારી જમીન પર સ્થાનિકો દ્વારા છેલ્લા 3 વર્ષથી પેશકદમી કરી આંબાના ઝાડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ શખ્સોને નોટિસ આપી રાણાવાવ મામલતદાર કચેરી દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડીમોલેશનમાં અંદાજે 4 હેક્ટરથી વધુ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ડીમોલેશનમાં અંદાજે 5. કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.આ ડીમોલેશન કામગીરીમાં રાણાવાવ મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya