ઉત્તરાખંડ અકસ્માતમાં સુરતના સોની પરિવારને ઘાતક આઘાત, યુવાન દીકરી ડ્રીમી સોનીનું નિધન
સુરત, 27 જૂન (હિ.સ.)- ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ નજીક ધોલથીર-બદ્રીનાથ હાઇવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યારે યાત્રીઓથી ભરેલી ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના કરુણ મૃત્યુ થયા છે અને 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યાર
1 murder


સુરત, 27 જૂન (હિ.સ.)- ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ નજીક ધોલથીર-બદ્રીનાથ હાઇવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યારે યાત્રીઓથી ભરેલી ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના કરુણ મૃત્યુ થયા છે અને 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 9 યાત્રીઓ હજુ ગુમ હોવાનું વહીવટીતંત્રએ જણાવ્યું છે.

ટ્રાવેલરમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના યાત્રીઓ મુસાફરી કરતાં હતાં. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા અને “વિધાતા જ્વેલર્સ”ના માલિક ઈશ્વરભાઈ સોની પરિવાર સહિત પ્રવાસે ગયા હતા. દુર્ભાગ્યવશ, તેમની મોટી દીકરી ડ્રીમી સોનીનું અકસ્માતમાં કરુણ અવસાન થયું છે.

ડ્રીમી સોની ભણવામાં તીખી અને મહામહેનતી વિદ્યાર્થીઓમાંની એક હતી. તેણે તાજેતરમાં 12મું સાયન્સ 89 ટકા સાથે પાસ કર્યું હતું અને એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતી હતી. પરિવાર માટે આ અપૂર્ણિય નુકસાન છે.

સોની પરિવાર મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ભદરાડા ગામનો વતની છે. વ્યવસાયિક રીતે તેઓ વર્ષોથી સુરતમાં સ્થાયી છે અને જ્વેલરી ઉદ્યોગમાં નોંધપાત્ર ઓળખ ધરાવે છે. મળતી માહિતી મુજબ આ મુસાફરી માટે તેઓ ઉદયપુરથી ઉત્તરાખંડ તરફ નીકળ્યા હતા.

વહીવટીતંત્રએ બચાવ કામગીરી શરૂ કરી છે અને ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. મૃતકોની સત્તાવાર યાદી હજુ જાહેર કરાઈ નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande