પાટણમાં ભવ્ય ધામધૂમથી જગન્નાથજીની 143મી રથયાત્રા યોજાઈ
પાટણ, 27 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં શુક્રવારે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ધાર્મિક ઊલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવાઈ. જગદીશ મંદિરથી સવારે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીને કોળા અને ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. બપોરે 12
પાટણમાં ભવ્ય ધામધૂમથી જગન્નાથજીની 143મી રથયાત્રા યોજાઈ


પાટણમાં ભવ્ય ધામધૂમથી જગન્નાથજીની 143મી રથયાત્રા યોજાઈ


પાટણમાં ભવ્ય ધામધૂમથી જગન્નાથજીની 143મી રથયાત્રા યોજાઈ


પાટણમાં ભવ્ય ધામધૂમથી જગન્નાથજીની 143મી રથયાત્રા યોજાઈ


પાટણમાં ભવ્ય ધામધૂમથી જગન્નાથજીની 143મી રથયાત્રા યોજાઈ


પાટણ, 27 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં શુક્રવારે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ધાર્મિક ઊલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવાઈ. જગદીશ મંદિરથી સવારે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીને કોળા અને ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. બપોરે 12:39 કલાકે ત્રણે ભાઈ-બહેનની મૂર્તિઓને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. હરેશભાઈ જોષીએ આરતી ઉતારી હતી અને ભક્તોએ અબીલ-ગુલાલની છોળો સાથે જય રણછોડ માખણ ચોરના નાદમાં રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

રથયાત્રા રોકડીયા ગેટથી શરૂ થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર લાખો ભક્તોની ભીડ ઉમટી હતી. યાત્રામાં શણગારેલા ઊંટ-ઘોડા, નિશાન ડંકો અને 100થી વધુ આકર્ષક ઝાંખીઓ જોવા મળી, જેમાં વિવિધ થીમ આધારિત ટેબ્લો પણ સામેલ હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ તલવારબાજી અને અખાડાના શૌર્ય પ્રદર્શન દ્વારા યાત્રામાં જુસ્સો ઉમેર્યો હતો.

વિભિન્ન સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રામાર્ગમાં ઠંડા પાણી, છાશ, ચા, શરબત, કુલ્ફી અને મહાપ્રસાદનો વિતરણ કરવામાં આવ્યો હતો. છેલ્લા 142 વર્ષથી પાટણમાં રથયાત્રાનું સતત આયોજન થાય છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવામાં જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્ય સહિતના પદાધિકારીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande