નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) ઋતિક રોશન અને જુનિયર એનટીઆર સ્ટારર 'વોર-2' રિલીઝ થવાને હવે
થોડા જ દિવસો બાકી છે. 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ માટે
દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, અને હવે રિલીઝના
માત્ર ત્રણ દિવસ પહેલા જ ફિલ્મની પ્રમોશનલ સ્ટ્રેટેજી જાહેર કરવામાં આવી છે.
'વોર-2'ની રિલીઝને ભવ્ય
બનાવવા માટે, નિર્માતાઓએ ઘણા
મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેમણે દેશભરના સિનેમાઘરોને આવશ્યકતાઓની યાદી મોકલી
છે. સિંગલ-સ્ક્રીન થિયેટરોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ બીજી કોઈ ફિલ્મ
પ્રદર્શિત કરશે નહીં અને 'વોર 2' સંપૂર્ણપણે
પ્રદર્શિત કરશે. આ જ નિયમ બે અને ત્રણ સ્ક્રીનવાળા થિયેટરોને પણ લાગુ પડશે. યશ રાજ
ફિલ્મ્સ (વાયઆરએફ) એ પણ નિર્ણય લીધો
છે કે, 'વોર 2'ના ઓછામાં ઓછા 12
શો ફરજિયાતપણે બે-સ્ક્રીન થિયેટરોમાં ચલાવવામાં આવશે.
અહેવાલો અનુસાર, “ત્રણ સ્ક્રીનવાળા સિનેમા હોલમાં 'વોર-2' ના ઓછામાં ઓછા 18
શો દરરોજ બતાવવા જરૂરી રહેશે. 4, 5 અને 6 સ્ક્રીનવાળા મલ્ટિપ્લેક્સમાં દરરોજ 21, 27 અને 30 શો
ચલાવવા જરૂરી રહેશે. 7-સ્ક્રીનવાળા મલ્ટિપ્લેક્સમાં, આ સંખ્યા 36 હશે, જ્યારે 8-સ્ક્રીનવાળા મલ્ટિપ્લેક્સમાં 42, 9-સ્ક્રીનવાળા
મલ્ટિપ્લેક્સમાં 48 અને 10 કે તેથી વધુ સ્ક્રીનવાળા મલ્ટિપ્લેક્સમાં દરરોજ ઓછામાં
ઓછા 54 શો બતાવવાના રહેશે.”
અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ એક્શન એન્ટરટેઈનર ફિલ્મમાં
કિયારા અડવાણી પણ જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ