પ્રધાનમંત્રી મોદીએ પહેલી વાર મિઝોરમને, ભારતીય રેલ નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.) પાંચ રાજ્યોના તેમના પ્રવાસમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સૌપ્રથમ મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજધાની આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન
રેલ


નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.) પાંચ રાજ્યોના તેમના પ્રવાસમાં, પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદી શનિવારે સૌપ્રથમ મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજધાની આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી

વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રીએ પહેલી વાર મિઝોરમને ભારતીય રેલ નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ

નવી રેલ લાઇનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ કહ્યું કે,'આઈઝોલ આજથી રેલ્વે નકશા પર હશે.'

આ પ્રવાસ દરમિયાન ખરાબ હવામાનમાં પહોંચેલા પ્રધાનમંત્રી

મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે,” તેઓ મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર હતા

અને ખરાબ હવામાનને કારણે, આઈઝોલ પહોંચી શક્યા નહીં.” તેમણે કહ્યું,”સ્વતંત્રતા ચળવળ

હોય કે રાષ્ટ્ર નિર્માણ, મિઝોરમના લોકો

હંમેશા યોગદાન આપવા માટે આગળ આવ્યા છે. બલિદાન અને સેવા, હિંમત અને કરુણા, આ મૂલ્યો મિઝો

સમાજના કેન્દ્રમાં છે. આજે મિઝોરમ ભારતની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

રહ્યું છે. આ દેશ માટે, ખાસ કરીને

મિઝોરમના લોકો માટે એક ઐતિહાસિક દિવસ છે.”

મિઝોરમમાં, પ્રધાનમંત્રીએ 9,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

કર્યો અને ઉદ્ઘાટન કર્યું. તેમણે 8,070 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે

લાઇનનું ઉદ્ઘાટન કર્યું, જે મિઝોરમની

રાજધાની મિઝોરમને પહેલી વાર ભારતીય રેલ નેટવર્ક સાથે જોડશે.

અગાઉ, ભારે વરસાદને કારણે, પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટર દ્વારા લેંગપુઈ એરપોર્ટથી

આઈઝોલના લમ્મુઆલ ગ્રાઉન્ડ પહોંચી શક્યા ન હતા. તેમણે એરપોર્ટથી જ રેલ્વે લાઇનનું

ઉદ્ઘાટન કર્યું. મિઝોરમ પછી, પ્રધાનમંત્રી મોદી મણિપુરની મુલાકાત લેશે. અહીં તેઓ 8,500 કરોડ રૂપિયાથી

વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande