
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે,
કાશ્મીરી પંડિત સમુદાયની સમૃદ્ધ પરંપરાઓને પ્રતિબિંબિત કરતા પવિત્ર તહેવાર 'મહાશિવરાત્રી' અને 'હેરાથ પોશ્તે' નિમિત્તે દેશવાસીઓને
શુભેચ્છાઓ પાઠવી.
વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું, દેશભરના મારા
પરિવારના સભ્યોને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું પ્રાર્થના કરું છું કે
સર્વોપરી ભગવાન મહાદેવ, હંમેશા દરેક પર પોતાના આશીર્વાદ વરસાવે. તેમના આશીર્વાદ
બધા માટે સુખાકારી લાવે અને આપણું ભારત સમૃદ્ધિનું શિખર પ્રાપ્ત કરે.
'હેરાથ પોશ્તે' ના અવસરે દરેકને
સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે,” આ તહેવાર આપણા કાશ્મીરી
પંડિત સમુદાયની સમૃદ્ધ પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે. આ તહેવાર સફળતાના નવા રસ્તા
ખોલે અને દરેક ઘરને આનંદ અને સંતોષથી ભરી દે.”
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ