ઉત્તરાખંડમાં ધામી મંત્રીમંડળનું વિસ્તરણ, પાંચ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા
દેહરાદૂન, નવી દિલ્હી, 20 માર્ચ (હિ.સ.). શુક્રવારે ઉત્તરાખંડમાં, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. પાંચ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. લોકભવન ખાતે સવારે લગભગ 10:30 વાગ્યે આયોજિત શપથ ગ્રહણ સમારોહમ
રાજપુર (દેહરાદૂન) ના ખજાન દાસ, શપથ લેતા નજરે પડે છે


દેહરાદૂન, નવી દિલ્હી, 20 માર્ચ (હિ.સ.). શુક્રવારે ઉત્તરાખંડમાં, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. પાંચ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા.

લોકભવન ખાતે સવારે લગભગ 10:30 વાગ્યે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં, રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત) એ નવનિયુક્ત મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. શપથ લેનારાઓમાં રાજપુર (દેહરાદૂન) ના ખજાન દાસ, રુદ્રપ્રયાગના ભરત સિંહ ચૌધરી, હરિદ્વારના મદન કૌશિક, રૂરકીના પ્રદીપ બત્રા અને ભીમતાલ (નૈનીતાલ) ના રામ સિંહ કૈડાનો સમાવેશ થાય છે.

મંત્રીમંડળના વિસ્તરણમાં વરિષ્ઠતા અને પ્રાદેશિક સંતુલનને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ, આ પ્રસંગે તમામ નવનિયુક્ત મંત્રીઓને અભિનંદન આપ્યા અને તેમને જાહેર કલ્યાણ અને વિકાસને પ્રાથમિકતા આપવા વિનંતી કરી. સમારોહમાં મંત્રીઓ, ધારાસભ્યો, મુખ્ય સચિવ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/રાજેશ કુમાર પાંડે/વિનોદ પોખરિયાલ/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande