મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહારો કર્યા: જો બંગાળ નબળું પડશે, તો અમે દિલ્હી સરકારને ઉથલાવીશું.
કોલકતા, નવી દિલ્હી, 7 માર્ચ (હિ.સ.): પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ, ધર્મતલા મેટ્રો ચેનલ પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના બીજા દિવસે શનિવારે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે ચેતવણી આપી હતી કે, બંગાળને નબળું પાડવાનો કોઈપણ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી


કોલકતા, નવી દિલ્હી, 7 માર્ચ (હિ.સ.): પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ, ધર્મતલા મેટ્રો ચેનલ પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના બીજા દિવસે શનિવારે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે ચેતવણી આપી હતી કે, બંગાળને નબળું પાડવાનો કોઈપણ પ્રયાસ, દિલ્હી સરકારને ઉથલાવી દેશે.

મુખ્યમંત્રીએ કહ્યું, ભાજપે સાવધ રહેવું જોઈએ. મતો કાપીને બંગાળનું વિભાજન કરી શકાતું નથી. બંગાળ લડી રહ્યું છે અને લડવાનું જાણે છે. જો વધુ કંઈ કરવામાં આવે, તો અમે દિલ્હી સરકારને ઉથલાવી દઈશું.

વિરોધ મંચ પરથી તેમણે, કેન્દ્ર સરકાર અને ભાજપ પર ધાકધમકીનું રાજકારણ કરવાનો આરોપ પણ લગાવ્યો. મમતાએ કહ્યું કે, ઘણા લોકોને તેમના પદ પરથી દૂર કરવા અથવા દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જનતા બધું જોઈ રહી છે.

મુખ્યમંત્રીએ રાજ્યપાલને તાજેતરમાં હટાવવા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલાં રાજ્યપાલને બદલવાનો નિર્ણય અગમ્ય છે.

કેન્દ્ર સરકારની ટીકા કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, દિલ્હીમાં રહેલા લોકો ઘમંડી છે અને સત્તા જાળવી રાખવા માટે સાથી પક્ષો પર આધાર રાખી રહ્યા છે. ખાસ કરીને ચંદ્રાબાબુ નાયડુનો ઉલ્લેખ કરતા મમતાએ કહ્યું કે, સરકાર ચંદ્રાબાબુની દયા પર ચાલી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે જાહેર મુદ્દાઓ પર તેમની લડાઈ ચાલુ રહેશે.

વિરોધ મંચ પરથી બોલતા મુખ્યમંત્રીએ, મહારાષ્ટ્રના નેતા અજિત પવારનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જે કેસમાં તેમણે અગાઉ નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી તે હવે યોગ્ય સાબિત થઈ રહી છે.

ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા પ્રક્રિયાના વિરોધમાં મુખ્યમંત્રીનો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે અને તેને રાજકીય વર્તુળોમાં એક મહત્વપૂર્ણ રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. શુક્રવારથી શરૂ થયેલો વિરોધ શનિવારે તેના બીજા દિવસમાં પ્રવેશ્યો.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande