ભારત-કેનેડા મુક્ત વેપાર કરાર પર, ત્રીજા તબક્કાની વાતચીત પૂર્ણ
નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.) ભારત અને કેનેડા વચ્ચે પ્રસ્તાવિત વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) પર ત્રીજા તબક્કાની વાટાઘાટો 10 જુલાઈએ ઓટાવામાં પૂર્ણ થઈ ગઈ છે. બંને દેશોએ આ કરાર પર 2026ની અંદર, વાતચીત પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા ફરી દોહરાવી છે. વાણ
કાલ્ો ્


નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.) ભારત અને કેનેડા વચ્ચે પ્રસ્તાવિત વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) પર ત્રીજા તબક્કાની વાટાઘાટો 10 જુલાઈએ ઓટાવામાં પૂર્ણ થઈ ગઈ છે. બંને દેશોએ આ કરાર પર 2026ની અંદર, વાતચીત પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા ફરી દોહરાવી છે.

વાણિજ્ય વિભાગે રવિવારે ‘એક્સ’ પર જારી કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘‘ભારત અને કેનેડાએ 06 થી 10 જુલાઈ દરમિયાન, ઓટાવામાં ભારત-કેનેડા સીઈપીએ માટે વાટાઘાટોના ત્રીજા તબક્કાને પૂર્ણ કર્યો છે. વાટાઘાટો દરમિયાન અનેક સ્તરે સકારાત્મક પ્રગતિ થઈ છે, જેના કારણે બંને દેશોના નેતાઓએ પોતાના સહિયારા દૃષ્ટિકોણ મુજબ 2026માં વાતચીત પૂર્ણ કરવાની પોતાની સંયુક્ત પ્રતિબદ્ધતાને ફરી દોહરાવી છે.’’

વિભાગે જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચે માલ અને સેવાઓનો વેપાર, બૌદ્ધિક સંપદા, મૂળ સ્થાનના નિયમો, સ્વચ્છતા અને પાદપ-સ્વચ્છતા સંબંધિત પગલાં, તેમજ વેપારમાં તકનીકી અવરોધો જેવા મુદ્દાઓ પર પાંચ દિવસ સુધી ચર્ચા થઈ. આ વાટાઘાટો મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે ભારત અને કેનેડાએ 2030 સુધી દ્વિપક્ષીય વેપારને 50 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

વાણિજ્ય વિભાગના જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 8.22 ટકા ઘટીને 7.95 અબજ અમેરિકી ડોલર રહ્યો, જે નાણાકીય વર્ષ 2024-25માં 8.66 અબજ અમેરિકી ડોલર હતો. નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું કેનેડા તરફનું નિકાસ 4.67 અબજ ડોલર જ્યારે આયાત 3.28 અબજ ડોલર રહી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતથી કેનેડાને થતી મુખ્ય નિકાસમાં દવાઓ, લોખંડ અને સ્ટીલ, સમુદ્રી ઉત્પાદનો, કપાસી વસ્ત્રો, ઇલેક્ટ્રોનિક સામાન અને રસાયણોનો સમાવેશ થાય છે. બીજી તરફ, કેનેડાથી ભારત મુખ્યત્વે દાળ, મોતી અને અર્ધ-કીમતી પથ્થરો, કોલસો, ખાતર, કાગળ અને કાચા પેટ્રોલિયમની આયાત કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande