મણિપુરના થૌબલમાં કેસીપી (પીડબ્લ્યુજી) ના બે કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી
થૌબલ (મણિપુર), નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) મણિપુરના થૌબલ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા અલગ અલગ અભિયાનોમાં કેસીપી (પીડબ્લ્યુજી) ના બે કથિત સક્રિય કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, 23 ઓગસ્ટના રોજ સુરક્ષા દળોએ લિલોં
The images Shared by Manipur Police.


થૌબલ (મણિપુર), નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) મણિપુરના થૌબલ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા અલગ અલગ અભિયાનોમાં કેસીપી (પીડબ્લ્યુજી) ના બે કથિત સક્રિય કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, 23 ઓગસ્ટના રોજ સુરક્ષા દળોએ લિલોંગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લિલોંગ તાઇરેન મખોંગ વિસ્તારમાંથી 30 વર્ષીય બુમાયુમ અયુબ ખાનની ધરપકડ કરી હતી. તે હિયાંગથાંગ તરાહી કોંજિલનો રહેવાસી છે અને કેસીપી (પીડબ્લ્યુજી) નો સક્રિય કેડર હતો અને કથિત રીતે ગેરવસૂલીની પ્રવૃત્તિઓમાં સામેલ હતો.

અગાઉ, ગુપ્તચર માહિતીના આધારે, થૌબલ સીડીઓ અને 11 આસામ રાઇફલ્સની સંયુક્ત ટીમે લિલોંગ ઉશોઇપોકી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન કેસીપી (પીડબ્લ્યુજી) ના કથિત વરિષ્ઠ કેપ્ટન થિયામ બોઇચા સિંહ ઉર્ફે બાલિન (28) ની ધરપકડ કરવામાં આવી હતી. તે બિષ્ણુપુર વોર્ડ નંબર આઠનો રહેવાસી છે.

પૂછપરછમાં જાણવા મળ્યું કે, બાલિન 13 નવેમ્બર, 2021ના રોજ બેહિયાંગ, ચુરાચંદપુર ખાતે 46 આસામ રાઇફલ્સ સી. ઓ. અને અન્ય છ લોકો પર ઘાતકી હુમલામાં સામેલ ટીમનો ભાગ હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કેસમાં બાલિન એ-3 આરોપી છે અને તે ભાગેડુ ગુનેગાર હોવાનું કહેવાય છે.

હિન્દુસ્થાન સમાચાર /શ્રીપ્રકાશ/અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande