પાટણના સિદ્ધિ સરોવર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિરે શિવયાગ હવન યોજાયો.
પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણના સિદ્ધિ સરોવર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણ મહિનાની અમાસના પવિત્ર દિવસે શિવયાગ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. કુબેરેશ્વર મહાદેવ સેવક ગણ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ યજમાન પરિવારો
પાટણના સિદ્ધિ સરોવર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિરે શિવયાગ હવન યોજાયો.


પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણના સિદ્ધિ સરોવર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણ મહિનાની અમાસના પવિત્ર દિવસે શિવયાગ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. કુબેરેશ્વર મહાદેવ સેવક ગણ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ યજમાન પરિવારોએ ભાગ લઈ શ્રદ્ધાપૂર્વક હવનમાં આહુતિ અર્પણ કરી હતી. કુબેરેશ્વર મહાદેવ અને રણજીત હનુમાન દાદાની કૃપાથી યોજાયેલા આ ધાર્મિક મહોત્સવથી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો.

શિવયાગ હવન દરમિયાન યજમાન પરિવારોએ ધાર્મિક વિધિમાં જોડાઈ પૂજા-અર્ચના કરી હતી. અમાસના દિવસે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે 5 વાગ્યે મુખ્ય શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ કરવામાં આવનાર છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ધાર્મિક આયોજનમાં જોડાઈ ધર્મલાભ લઈ રહ્યા છે.

યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાત્રે 9:30 કલાકે ભજન અને સંતવાણી ડાયરાનું વિશેષ સંગીતમય આયોજન પણ રાખવામાં આવ્યું છે. ધાર્મિક વિધિ, ભજન અને સંતવાણીના સંગમથી શ્રાવણ અમાસનો આ દિવસ ભક્તો માટે વિશેષ આધ્યાત્મિક અને ભક્તિમય બની રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande