
ગીર સોમનાથ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા વિસ્તારમાં ઘણા લાંબા ટાઈમથી આતૂરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે મેઘરાજા આજે વહેલી સવારથી કાળા દિમાગ વાદળો વચ્ચે પધાર્યા છે, ત્યારે
સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં સવારથી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુત્રાપાડા પંથકના પ્રશ્નાવડા વડોદરા બાવાની વાવ લોઢવા પ્રાચી, ટીબલી, મહોબતપરા, ધંટીયા, ખાંભા, નવાગામ, ગોરખમઢી સહિતના ગામોમાં ધમાકેદાર વરસાદ ની એન્ટ્રી જોવા મળી રહી હતી, વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોએ વાવેલ ચોમાસુ પાકો કપાસ
સોયાબીન, મગફળી જૂવારસહિતના પાકને વરસાદથી જીવનદાન મળ્યું છે.
લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોને મોટી રાહત કારણ કે ખેડૂતોએ સોમાસુમાં આવેલા મગફળી એ સોયાબીન કપાસ જુવાર સેવા પાકો નિષ્ફળતાની અણી ઉપર હતા ત્યારે આ એક વરસાદ સોનુ જેવો ગણવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ