મહેસાણા, 11 ઓક્ટોબર (હિ.સ.): જાણીતા બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારે આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત લીધી હતી. તેમણે સૌપ્રથમ વડનગરના પ્રાચીન અને પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને ભગવાન શંકરની આરાધના કરી અને દર્શન કર્યા. મંદિર ખાતે અક્ષય કુમારને સ્થાનિક લોકો અને ભક્તોએ આત્મિય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે વડનગરના હેરિટેજ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી, જ્યાં વડનગરના ઐતિહાસિક વારસા અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો હતો.
અક્ષય કુમારે વડનગરમાં આવેલી પ્રેરણા સ્કૂલની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બાળકો સાથે સંવાદ કર્યો અને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધાર્યો. શહેરમાં તેમના આગમનથી સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો અભિનેતાને જોવા ઉમટી પડ્યા હતા. વડનગરની સફર દરમિયાન અક્ષય કુમારે શહેરના વિકાસ અને ઐતિહાસિક મહત્વની પ્રશંસા કરી હતી. તેમની આ મુલાકાતને લઈને વડનગરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને અનેક લોકોએ સોશિયલ મીડિયા પર તેમના વિડિયો અને ફોટા શેર કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR