પોરબંદર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી.
પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની અવિરત વિકાસયાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તા. 07 ઑક્ટોબ
પોરબંદર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી.


પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની અવિરત વિકાસયાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તા. 07 ઑક્ટોબરથી તા. 15 ઑક્ટોબર દરમિયાન યોજાતી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લા માહિતી કચેરી ખાતે કર્મચારીઓએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.

આ પ્રતિજ્ઞા દરમિયાન વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવા માટે પોતાના યોગદાન આપવાની સાથે સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરી આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ વેગવાન બનાવવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી, પોરબંદરના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande