નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) ભારત અને કેનેડા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો
પછી, કેનેડાના વિદેશ
મંત્રી અનિતા આનંદ, રવિવારે નવી દિલ્હી આવી રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન, ભારત અને કેનેડા
વેપાર, ઉર્જા અને
સુરક્ષા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સહયોગ માટેના માળખા પર ચર્ચા કરશે. અનિતા આનંદના
ત્રણ દેશોના પ્રવાસમાં ભારત પહેલું રોકાણ હશે, ત્યારબાદ તેઓ સિંગાપોર અને ચીનની યાત્રા કરશે.
કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ આજે, ભારતની મુલાકાત માટે
દિલ્હી આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન, તેઓ વિદેશ મંત્રી એસ. જયશંકર અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ
સાથે વ્યાપક ચર્ચા કરશે, તેમજ દ્વિપક્ષીય
વેપાર, ઉર્જા અને
સુરક્ષા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સહયોગ માટેના માળખાની રૂપરેખા આપશે. અનિતા આનંદ
મુંબઈની પણ મુલાકાત લેશે,
જ્યાં તેઓ કેનેડા
અને ભારતમાં રોકાણ, રોજગાર સર્જન અને
આર્થિક તકોને પ્રોત્સાહન આપવા માટે કામ કરતી કેનેડિયન અને ભારતીય કંપનીઓના
અધિકારીઓ સાથે મુલાકાત કરશે. ભારત ઉપરાંત, તેઓ 12 થી 17 ઓક્ટોબર સુધી સિંગાપોર અને ચીનની પણ મુલાકાત લેશે.
કેનેડાના વિદેશ મંત્રી, અનિતા આનંદ, એક હિન્દુ, એક ભારતીય ઇમિગ્રન્ટ દંપતીની પુત્રી છે. તેમણે ઓક્સફોર્ડ
યુનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ મહિનાની શરૂઆતમાં, તેમને કેનેડાના
વડાપ્રધાન માર્ક કાર્નીના નવા મંત્રીમંડળમાં વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં
આવ્યા હતા. તેમણે અગાઉની કેનેડાની સરકારોમાં સંરક્ષણ મંત્રી અને પરિવહન મંત્રી
તરીકે સેવા આપી છે.
સપ્ટેમ્બર 2023 માં જ્યારે કેનેડાના વડાપ્રધાન, જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની
નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો ત્યારે
ભારત-કેનેડા સંબંધો બગડ્યા હતા. ભારતે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને સખત શબ્દોમાં
નકારી કાઢ્યા હતા. આ ઘટનાએ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ પેદા કર્યો
હતો, અને બંને પક્ષોએ
એકબીજાના રાજદ્વારીઓને દેશ છોડી દેવા કહ્યું હતું. જોકે, ટ્રુડોની
હકાલપટ્ટી પછી, બંને દેશો વચ્ચે
સંબંધોમાં સુધારો થવાની આશા વધી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ