પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): લોકોના પ્રશ્નો અને ફરીયાદોના ત્વરીત નિકાલ માટે મુખ્યમંત્રી દ્રારા નુતન અભિગમ સાથે દર માસે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. લોકોના પ્રશ્નો વહિવટી તંત્ર દ્વારા ઝડપી નિકાલ થાય તે માટે મુખ્યમંત્રીનો અભિગમ છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમ દર માસે જિલ્લા કક્ષાએ યોજવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં પણ આગામી-સ્વાગત કાર્યક્રમ ઓક્ટોબર - 2025 માસમાં યોજાનાર છે.
આથી પોરબંદરની જનતાને પોતાના કોઈ પણ ખાતા કે વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો કે ફરીયાદ જેવી કે લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા અનિર્ણિત પડતર પ્રશ્નો મોકલવા, અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજૂ કરવો તથા તેમના તરફથી આપવામાં આવેલ જવાબ /પ્રત્યુતરની નકલ જોડવી, અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજીવખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક તથા માસનું નામ અવશ્ય લખવું, પ્રશ્ન કે અરજીમાં પ્રશ્નકર્તાનું પુરુ નામ પુરેપુરું સરનામું ફોન નંબર ફરજીયાત લખવો તથા પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી કરવી. સહી વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
અરજદાર દ્વારા રજૂ થતી અરજી પોતાના પ્રશ્નની જ સ્પષ્ટ અને મુદાસર સમજી શકાય તેવા આઘારા પુરાવા સાથે હોવા જરૂરી છે. અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો અલગ-અલગ અરજીમાં મોકલવાના રહેશે, આ કાર્યક્રમમાં અરજદાર પોતાના પ્રશ્નની જાતે આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે, સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકશે નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.10/10/2025 સુધીમાં કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે પ્રશ્નો મોકલવાનાં રહેશે. તેમજ સ્વાગત પોર્ટલ પર તારીખ 1 થી 10 તારીખમાં ઓનલાઈન અરજી મારફત પણ પ્રશ્નો મોકલી શકશે. આ કાર્યક્રમની વધુ વિગત માટે જિલ્લા સેવા સદન-1 કલેકટર કચેરી પોરબંદરનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya