ઝઘડિયા ડીવાયએસપી વિસ્તારમાં, રીઢા આરોપીઓ પર રોજેરોજ રખાશે નજર
ડીવાયએસપીની અધ્યક્ષસ્થાને મેન્ટર્સ દ્વારા ડોઝીયર્સ પરેડ યોજાઇ પરેડમાં 47 મેન્ટર્સ અને 34 ડોઝીયર્સ ઉપસ્થિત રહ્યા હતા પુર્વ આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ છોડીને શાંતિપૂર્ણ અને સારી રીતે જીવી શકે તેવો પ્રયાસ ભરૂચ 5 ઓક્ટોબર (હિ.સ.) ઝઘડિયા વિ
ઝઘડિયા ડીવાયએસપી વિસ્તારમાં રીઢા આરોપીઓ પર રોજેરોજ રખાશે નજર


ઝઘડિયા ડીવાયએસપી વિસ્તારમાં રીઢા આરોપીઓ પર રોજેરોજ રખાશે નજર


ઝઘડિયા ડીવાયએસપી વિસ્તારમાં રીઢા આરોપીઓ પર રોજેરોજ રખાશે નજર


ઝઘડિયા ડીવાયએસપી વિસ્તારમાં રીઢા આરોપીઓ પર રોજેરોજ રખાશે નજર


ડીવાયએસપીની અધ્યક્ષસ્થાને મેન્ટર્સ દ્વારા ડોઝીયર્સ પરેડ યોજાઇ

પરેડમાં 47 મેન્ટર્સ અને 34 ડોઝીયર્સ ઉપસ્થિત રહ્યા હતા

પુર્વ આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ છોડીને શાંતિપૂર્ણ અને સારી રીતે જીવી શકે તેવો પ્રયાસ

ભરૂચ 5 ઓક્ટોબર (હિ.સ.)

ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક કચેરી ખાતે આજરોજ ઝઘડિયા વિભાગના છ પોલીસ મથકો પૈકી વાલિયા ,નેત્રંગ અને ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકોના મેન્ટર્સ (ડોઝીયર્સ- આરોપીઓ પર નજર રાખનાર પોલીસ) અને ડોઝીયર્સ (પુર્વ આરોપીઓ) ને હાજર રાખીને ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણાના અધ્યક્ષ સ્થાને પરેડ કાર્યક્રમ યોજાયો હતો.

ઝઘડિયા ડીવાયએસપી અને ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડની ઉપસ્થિતમાં યોજાયેલ પરેડ કાર્યક્રમમાં ત્રણ પોલીસ મથકોના 47 મેન્ટર્સ અને 34 ડોઝીયર્સ હાજર રહ્યા હતા.જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સુચના મુજબ કાર્યક્રમ યોજાયો હતો.ઉપરોક્ત સુચના અન્વયે જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને મેન્ટર (દેખરેખ રાખનાર પોલીસ) દ્વારા રોજેરોજ ચેક કરવા તેમજ આરોપીઓ ઉપર સતત સર્વેલન્સ રાખીને અસરકારક કામગીરી કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ઝઘડિયા ડીવાયએસપી દ્વારા ડોઝીયર્સની હાલની પ્રવૃત્તિઓ બાબતે તથા અન્ય જરૂરી પુછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે આવા પુર્વ આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ છોડીને શાંતિપૂર્ણ અને સારી રીતે જીવી શકે તે માટે પોલીસ દ્વારા તેમને નોકરીઓ અપાવીને રોજગારની તકો પુરી પાડવામાં આવતી હોય છે.આજરોજ ઝઘડિયા ડિવિઝનના ત્રણ પોલીસ મથકોને સાંકળીને પરેડ કાર્યક્રમ યોજાયો હતો,જ્યારે બાકીના ત્રણ પોલીસ મથકો સંબંધિત પરેડ કાર્યક્રમનું હવે પછી આયોજન કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande