ગીર સોમનાથ 6 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ખારવાવાડ વિસ્તારમા મોડી રાતે 3 માળનુ મકાન ધરાશાયી થતા 3 ના મોત થયા છે. માતા - પુત્રી સાથે મકાનની નીચે ઉભેલા બાઇકસવારનુ પણ મોત થયું છે અને અન્ય બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા આવ્યા છે.
મોડી રાત્રીના 1:30 કલાક આસપાસ ખારવાવાડ ના આઝાદ ચોકમા બની હતી આ ઘટના નવરાત્રી સમયે શેરીમાલોકોનીઅવરજવર ચાલુ હતી એક બાઇકચાલક નીચે ઉભો હતોતેનુપણઘટનાસ્થળે મોત નીપજયુ હતુ.
ઘટનાની જાણ તથા તાત્કાલિક પોલીસ, નગરપાલીકા ,ખારવાવાડાના યુવાનોની ટીમોએ બચાવની કામગીરી હાથ ધરી હતી.
આ કામગીરી સવારે 4:30 કલાક સુધી ચાલતી હતી જેમા કાટમાળમાંથી 3 ના મૃતદેહ બહાર કઢાયા હતા જ્યારે બે વ્યક્તિઓ ને જીવતા બચાવાયા જે હાલ સારવાર હેઠળ છે.
આ મકાન 80 વર્ષ જુનુ હતુ અને લાંબા સમયથી જજઁરીત હતુ.
બનાવની જાણ થતા ખારવા સમાજ મા શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ