યાત્રિયોની સુવિધા માટે વેરાવળ–રાજકોટ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે
ભાવનગર, 1 નવેમ્બર (હિ.સ.): યાત્રિયોની વધતી માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી પસાર થતી વેરાવળ–રાજકોટ પેસેન્જર ટ્રેનમાં તાત્કાલિક રૂપે 11 વધારાના જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
યાત્રિયોની સુવિધા માટે


ભાવનગર, 1 નવેમ્બર (હિ.સ.): યાત્રિયોની વધતી માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી પસાર થતી વેરાવળ–રાજકોટ પેસેન્જર ટ્રેનમાં તાત્કાલિક રૂપે 11 વધારાના જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ વિગત નીચે મુજબ છે –

• ટ્રેન નંબર 59421 (રાજકોટ–વેરાવળ પેસેન્જર) માં તા. 31 ઓક્ટોબર, 2025 થી 31 ડિસેમ્બર, 2025 સુધી 11 વધારાના જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ લગાવવામાં આવશે.

• ટ્રેન નંબર 59422 (વેરાવળ–રાજકોટ પેસેન્જર) માં તા. 01 નવેમ્બર, 2025 થી 01 જાન્યુઆરી, 2026 સુધી 11 વધારાના જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ લગાવવામાં આવશે.

આ તાત્કાલિક વધારો આવનારા તહેવારના સિઝનમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને વધુ સુવિધા મળી શકે અને તેમની મુસાફરી સરળ તેમજ સુરક્ષિત બની શકે. ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ યાત્રિયોને વિનંતી કરી છે કે તેઓ રેલવે દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓનો લાભ લે અને સુરક્ષિત તેમજ જવાબદાર મુસાફરી કરે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande