સિવિલ હોસ્પિટલમાં થયું 221મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
- કચ્છના શારદાબેન મહેશ્વરીના અંગદાનથી મળેલ એક લીવર અને બે કિડનીના દાનથી મળશે ૩ લોકોને નવજીવન અમદાવાદ, 20 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કચ્છ જિલ્લાના વતની બ્રેઇન ડેડ થતા અંગદાન થયું. જે સિવિલ હોસ્પિટલમાં થયેલ 221 મું અંગદાન હતું. સ
સિવિલ હોસ્પિટલમાં થયું 221મું અંગદાન  એક લીવર, બે કિડનીનું દાન મળ્યું


- કચ્છના શારદાબેન મહેશ્વરીના અંગદાનથી મળેલ એક લીવર અને બે કિડનીના દાનથી મળશે ૩ લોકોને નવજીવન

અમદાવાદ, 20 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કચ્છ જિલ્લાના વતની બ્રેઇન ડેડ થતા અંગદાન થયું. જે સિવિલ હોસ્પિટલમાં થયેલ 221 મું અંગદાન હતું.

સિવિલ હોસ્પિટલમાં થયેલ આ અંગદાનની વિગતોમાં જોઇએ તો કચ્છના વતની એવા 33 વર્ષીય શારદાબેન મહેશ્વરીને મગજમાં હેમરેજ થતા સારવાર માટે પરીવારજનો પ્રથમ ભુજ અને ત્યારબાદ 18 નવેમ્બરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા.

સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબોએ 19 નવેમ્બર, 2025ના રોજ તેમનું બ્રેઇન ડેડ હોવાનુ નિદાન કર્યું.

સિવિલ હોસ્પિટલ અંગદાન ટીમ દ્વારા હોસ્પિટલ ખાતે હાજર શારદાબેનના પતિ શંકરભાઇ, ભાઈ જીગ્નેશભાઈ અને કિશોર ભરાડીયાને શારદાબેન બ્રેઇન ડેડ હોવાનુ તેમજ તેમના અંગોનુ દાન કરવા સમજાવ્યા હતા.

શારદાબેન બ્રેઇન ડેડ હોવાની જાણ કચ્છ ખાતે તેમના સમાજના આગેવાનો નવીનભાઇ, પુંજાભાઇ, ભરતભાઈ પુંજાભાઈ આયડી, અરવિંદ હધુભાઈ આયડી, ગોવિંદ આયડી વિગેરે ને થતા નવીનભાઇએ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના દિલીપ દેશ્મુખ દાદાનો સંપર્ક કરી હોસ્પિટલ ખાતે હાજર શારદાબેનના પતિ અને અન્ય હાજર સગાઓ તેમજ કચ્છ ખાતે રહેલ માતા લક્ષ્મીબેન, પિતા કાનજી સીજુ અને અન્ય સગાઓ લીલબાઈ કે. આયડી, હંશાબેન આર. આયડીને સમજાવી અંગદાન માટે સંમતિ મેળવી હતી.

સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ 221 અંગદાન થકી કુલ 732 અંગોનું દાન મળ્યું છે. આમ જોઇએ તો 156 ચક્ષુ તેમજ 26 ચામડીના દાન મળી કુલ 182 પેશી ઓ સાથે કુલ 914 અંગો તેમજ પેશીઓનું દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજદીન સુધી મેળવવામાં આવ્યુ છે તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જોષી એ વધુ માં જણાવ્યુ હતુ.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, અંગદાન કાર્યક્રમમાં સમાજસેવી સંસ્થાઓનો મહત્વનો ફાળો છે.અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દાદાની પ્રેરણા અને સમજાવટ થી મહેશ્વરી મેઘવાલ સમાજના આગેવાનોએ અંગદાન માટે પરીવારજનોને સમજાવ્યા હતા. ઘણા કિસ્સા માં જ્યારે હોસ્પિટલ ખાતે નિર્ણય કરનાર પરીવારજન હાજર ન હોય અથવા સ્વજન પ્રત્યે ની લાગણી ના કારણે પરીવારજનો અંગદાન નો નિર્ણય ન લઇ શકતા હોય ત્યારે સમાજસેવી સંસ્થા ઓ ની ભુમિકા મહત્વ ની બની રહે છે.

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભુતકાળમાં પણ ગુજરાત રાજ્યના અંતરીયાળ ગામો તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યો માં પણ સ્વયંસેવકો મોકલી બ્રેઇન ડેડ દર્દી ના પરીવારજનો ને સમજાવી અંગદાન માટે તૈયાર કરવામાં આવ્યા છે. અંગદાન કાર્યક્રમ શરુ થયા પછી થી આજદીન સુધી સિવિલ હોસ્પિટલ માં ૨૨૧ અંગદાતાઓએ અંગદાન કર્યુ છે.

દિલીપ દેશમુખ દાદાના વિશેષ માર્ગદર્શન તેમજ ગાંધીધામ ખાતે નિત્યા સર્જીકલ હોસ્પિટલ નાં ડૉ. કિશન કટુઆ , ડૉ.સપના કટુઆ, રાધે હોસ્પિટલ અંજાર નાં ડૉ.અરવિંદ માતંગ વિગેરેના માર્ગદર્શન અને સહયોગ થી અમે છેલ્લા અમુક વર્ષોથી અંગદાન કામગીરીમાં સક્રીય છીએ તેમ નવિન બી. હિંગણા, સંસ્થાપક અધ્યક્ષ પેન્ઢદાન ઓર્ગેનાઈઝશન ગાંધીધામ કચ્છ., પુંજાભાઈ માયાભાઈ માંગલિયા તથા પુનમ ડી. ચુણા, પ્રમુખ ગાંધીધામ કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજના આગેવાનએ જણાવ્યું હતુ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande