પોરબંદર સહિત સૌરાષ્ટ્રની ચાર ટ્રેન અલગ ટ્રેક ઉપર દોડશે
પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : ઉત્તર-પશ્ચિમ રેલ્વેના ગાંધીનગર જયપુર સ્ટેશનના પુનઃવિકાસ અને વિશાળ સ્તરના અપગ્રેડેશન કાર્યને કારણે 35 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે, તેના પરિણામે ભાવનગર મંડળની કેટલીક ટ્રેનો પર અસર પડશે. બદલાયેલા માર્ગથી દોડનારી ટ્રેનો
પોરબંદર સહિત સૌરાષ્ટ્રની ચાર ટ્રેન અલગ ટ્રેક ઉપર દોડશે


પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : ઉત્તર-પશ્ચિમ રેલ્વેના ગાંધીનગર જયપુર સ્ટેશનના પુનઃવિકાસ અને વિશાળ સ્તરના અપગ્રેડેશન કાર્યને કારણે 35 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે, તેના પરિણામે ભાવનગર મંડળની કેટલીક ટ્રેનો પર અસર પડશે. બદલાયેલા માર્ગથી દોડનારી ટ્રેનો પોરબંદરથી પ્રસ્થાન કરતી ટ્રેન સંખ્યા 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ તાત્કાળ અસરથી 12 ડિસેમ્બર 2025 સુધી બદલાયેલા માર્ગ વડે ફુલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનો મારફતે દોડશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર રોકાશે.

પોરબંદરથી પ્રસ્થાન કરતી ટ્રેન સંખ્યા 20937 પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા એકસપ્રેસ 9 ડિસેમ્બર,2025 સુધી બદલાયેલા માર્ગ વડે ફુલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનો મારફતે દોડશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર રોકાશે.દિલ્લી સરાય રોહિલ્લાથી પ્રસ્થાન કરતી ટ્રેન સંખ્યા 20938 દિલ્લી સરાય રોહિલ્લા-પોરબંદર એકસપ્રેસ 24 નવેમ્બર,2025 થી ડિસેમ્બર,2025 સુધી બદલાયેલા માર્ગ વડે રેવાડી-રીંગસ-ફુલેરા સ્ટેશનો મારફતે દોડશે અને આ ટ્રેન નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર રોકાશે. 25 નવેમ્બર, 2025ના રોજ અયોધ્યા કેન્ટથી પ્રસ્થાન કરતી ટ્રેન સંખ્યા 19202 અયોધ્યા કેન્ટ-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ બદલાયેલા માર્ગ વડે ભરતપુર-કોટા-આણંદ-અમદાવાદ-વીરમગામ સ્ટેશનો મારફતે દોડશે અને આ ટ્રેન સવાઈ માધોપુર, કોટા, ભવાની મંડી, શામગઢ, નાગદા, રતલામ, દાહોદ, ગોધરા અને આણંદ સ્ટેશનો પર રોકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande