
અમરેલી, 22 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જનસંપર્ક કાર્યાલય ખાતે નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો સાથે હાજરી આપી હતી. જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન નાગરિકોની અરજીઓ વ્યક્તિગત રીતે સાંભળી તેમની સમસ્યાઓને ઝડપી ઉકેલ મળી રહે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને તરત જ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કૌશિક વેકારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોની માંગણીઓ અંગે વિગતવાર માહિતી મેળવી તેમણે અધિકારીઓને પ્રાથમિકતા આધારે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ પ્રકારના જનસંપર્ક કાર્યક્રમોથી નાગરિકોની સમસ્યાઓ સીધી સરકાર સુધી પહોંચે છે અને વાસ્તવિક સમયમાં ઉકેલની પ્રક્રિયા શરૂ થાય છે. અમરેલી જિલ્લાના નાગરિકો માટે આજનો દિવસ સમસ્યાઓના નિરાકરણની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai