પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર ઝુંબેશમાં વેગ, બે દિવસમાં 1.10 કરોડ ફોર્મનું વિતરણ
કોલકતા, નવી દિલ્હી, 6 નવેમ્બર (હિ.સ.): પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) ઝુંબેશને પહેલા બે દિવસમાં જ વેગ મળ્યો છે. બુધવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં, મતદારોને કુલ 1.10 કરોડથી વધુ ગણતરી ફોર્મનું વ
એસઆઈઆર ફોર્મ વિતરણ


કોલકતા, નવી દિલ્હી, 6 નવેમ્બર (હિ.સ.): પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) ઝુંબેશને પહેલા બે દિવસમાં જ વેગ મળ્યો છે. બુધવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં, મતદારોને કુલ 1.10 કરોડથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સત્તાવાર માહિતી અનુસાર, પહેલા દિવસે, 4 નવેમ્બરે આશરે 18 લાખ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા દિવસે, 5 નવેમ્બરે સાંજે 4 વાગ્યા સુધીમાં, આ સંખ્યા વધીને 66 લાખ થઈ ગઈ હતી. મોડી રાત સુધી ચાલુ રહેલા વિતરણ અભિયાનને કારણે બંને દિવસ માટે કુલ ફોર્મનું વિતરણ 1.10 કરોડથી વધુ થઈ ગયું.

મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જણાવ્યું હતું કે, બૂથ-સ્તરના અધિકારીઓ અને બૂથ-સ્તરના એજન્ટો સમયપત્રક મુજબ સક્રિયપણે ઘરે-ઘરે મુલાકાતો કરી રહ્યા છે, અને ઝુંબેશ સરળતાથી ચાલી રહી છે. રાત્રે 8 વાગ્યા સુધીમાં, આ સંખ્યા 1.10 કરોડ સુધી પહોંચી ગઈ હતી. કમિશને ફોર્મ યોગ્ય મતદારો સુધી પહોંચે અને સમયસર ચકાસણી સુનિશ્ચિત કરવા સૂચનાઓ જારી કરી છે.

રાજ્યમાં કુલ 80,681 બૂથ-લેવલ અધિકારીઓ તૈનાત છે, જ્યારે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના રાજકીય પક્ષોના બૂથ-લેવલ એજન્ટોની સંખ્યા 70 હજાર થી વધુ હોવાનું જાણવા મળે છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓએ ચકાસણી કાર્યમાં વિક્ષેપ ન પડે તે માટે દરેક બૂથ દીઠ વધુમાં વધુ એક એજન્ટની નિમણૂક કરવા માટે તમામ પક્ષોને અપીલ કરી છે.

આ સંદર્ભમાં, ચૂંટણી પંચની ત્રણ સભ્યોની કેન્દ્રીય ટીમ ઝુંબેશની પ્રગતિની સમીક્ષા કરવા માટે આઠ નવેમ્બર સુધી કૂચ બિહાર, જલપાઇગુડી અને અલીપુરદ્વાર જિલ્લાઓની મુલાકાત લેશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલ પણ ટીમ સાથે છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande