પ્રધાનમંત્રી મોદીએ, રાષ્ટ્રને વધુ ચાર વંદે ભારત ટ્રેનો ભેટ આપતા લીલી ઝંડી બતાવી, વારાણસીથી ખજુરાહો સુધીની મુસાફરી સરળ બની, હર હર મહાદેવ ના નારા ગુંજતા રહ્યા
વારાણસી (ઉત્તર પ્રદેશ), નવી દિલ્હી, 8 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ​​અહીં ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. નવી વંદે ભારત ટ્રેનો મુસાફરીનો સમય ઘટાડશે, પ્રાદેશિક ગતિશીલતા વધારશે અને અનેક રાજ્યોમાં પ્રવાસન અને વ
વારાણસી રેલ્વે સ્ટેશન પર પ્રધાનમંત્રી પહોંચતા, મુખ્યમંત્રી યોગી અને રેલ્વે મંત્રીએ સ્વાગત કર્યું


વારાણસી (ઉત્તર પ્રદેશ), નવી દિલ્હી, 8 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ​​અહીં ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. નવી વંદે ભારત ટ્રેનો મુસાફરીનો સમય ઘટાડશે, પ્રાદેશિક ગતિશીલતા વધારશે અને અનેક રાજ્યોમાં પ્રવાસન અને વેપારને વેગ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પર સમગ્ર વારાણસી રેલ્વે સ્ટેશન હર હર મહાદેવ ના નારાથી ગુંજી ઉઠ્યું.

પ્રધાનમંત્રીએ સવારે લગભગ 8:48 વાગ્યે રાષ્ટ્રને ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ભેટમાં આપી. નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો વારાણસી-ખજુરાહો, લખનૌ-સહારનપુર, ફિરોઝપુર-દિલ્હી અને એર્નાકુલમ-બેંગલુરુ વચ્ચે દોડશે. વારાણસી-ખજુરાહો વંદે ભારત ટ્રેનો હાલમાં કાર્યરત વિશેષ ટ્રેનોની તુલનામાં લગભગ બે કલાક અને 40 મિનિટ બચાવશે. તે દેશના કેટલાક સૌથી આદરણીય ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોને જોડશે: વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ અને ખજુરાહો. ખજુરાહોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે.

લખનૌ-સહારનપુર વંદે ભારત યાત્રા લગભગ સાત કલાક અને 45 મિનિટમાં પૂર્ણ કરશે, જેનાથી લગભગ એક કલાકનો મુસાફરીનો સમય બચશે. આનાથી લખનૌ, સીતાપુર, શાહજહાંપુર, બરેલી, મુરાદાબાદ, બિજનૌર અને સહારનપુરના મુસાફરોને ઘણો ફાયદો થશે, અને રૂરકી થઈને હરિદ્વાર સુધીની તેમની પહોંચમાં પણ સુધારો થશે. આ સેવા મધ્ય અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સરળ અને ઝડપી આંતર-શહેર મુસાફરી સુનિશ્ચિત કરીને કનેક્ટિવિટી અને પ્રાદેશિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ફિરોઝપુર-દિલ્હી વંદે ભારત આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેન હશે, જે ફક્ત છ કલાક અને 40 મિનિટમાં મુસાફરી પૂર્ણ કરશે. તે રાષ્ટ્રીય રાજધાની, દિલ્હી અને પંજાબના મુખ્ય શહેરો, જેમ કે ફિરોઝપુર, ભટિંડા અને પટિયાલા વચ્ચે જોડાણને મજબૂત બનાવશે. આ ટ્રેન વેપાર, પર્યટન અને રોજગારની તકોને વેગ આપશે તેવી અપેક્ષા છે.

એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ દક્ષિણ ભારતમાં મુસાફરીનો સમય બે કલાકથી વધુ ઘટાડશે. આ મુસાફરી આઠ કલાક અને 40 મિનિટ લેશે. આ વંદે ભારત એક્સપ્રેસ મુખ્ય આઈટી અને વાણિજ્યિક કેન્દ્રોને જોડશે. આ રૂટ કેરળ, તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે આર્થિક પ્રવૃત્તિ અને પર્યટનને વેગ આપશે.

વારાણસીથી ખજુરાહો સુધીની નવી વંદે ભારત એક્સપ્રેસ ઘણી રીતે ખાસ છે. આઠમો નંબર આ ટ્રેન સાથે સંકળાયેલ છે. તેનું સંચાલન આધ્યાત્મિક રીતે પણ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી મોદીએ શિવયોગ દરમિયાન ભગવાન શિવ (કાશી) ના શહેરથી શિવના ધામ (માતંગેશ્વર મહાદેવ મંદિર), ખજુરાહો સુધી તેને રવાના કરી.

વારાણસીમાં ભારતીય રેલ્વે બોર્ડના માહિતી અને પ્રચારના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે જણાવ્યું હતું કે, દેશભરમાં અમારી પાસે પહેલેથી જ 156 વંદે ભારત એક્સપ્રેસ સેવાઓ છે અને આઠ નવી સેવાઓના ઉમેરા સાથે, કુલ હવે 164 થશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande