
નવી દિલ્હી, 8 નવેમ્બર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, રવિવારે કર્ણાટકની મુલાકાત લેશે.
તેમની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ, શ્રવણબેલગોલા (હસન જિલ્લો) માં આચાર્ય 108 શાંતિસાગર મહારાજજીના સ્મૃતિ સમારોહમાં ભાગ લેશે અને આ આદરણીય જૈન આચાર્ય અને આધ્યાત્મિક નેતાને શ્રદ્ધાંજલિ આપશે.
પદ સંભાળ્યા પછી કર્ણાટકની આ તેમની પ્રથમ મુલાકાત છે.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરાષ્ટ્રપતિ, આચાર્ય શાંતિસાગર મહારાજજીની પ્રતિમાના અભિષેક સમારોહ અને ચોથી ટેકરીના નામકરણ સમારોહમાં પણ ભાગ લેશે.
આ પછી સી.પી. રાધાકૃષ્ણન, મૈસુરમાં જેએસએસ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચના 16મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ સંસ્થા સુત્તુર શ્રીક્ષેત્રના જગદગુરુ વીરસિંહાસન મહાસંસ્થાન મઠ સાથે જોડાયેલી છે.
ઉપરાષ્ટ્રપતિ, કર્ણાટકના મુખ્ય મઠોમાંના એક સુત્તુર મઠના જૂના પરિસરની પણ મુલાકાત લેશે. તેઓ મૈસુરમાં ચામુંડેશ્વરી દેવી મંદિર અને માંડ્યા જિલ્લાના મેલકોટેમાં ચેલુવનારાયણ સ્વામી મંદિરમાં પણ દર્શન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ