ઈજનેરી કાર્યને કારણે કાનાલુસ ટ્રેન આંશિક રદ.
પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.)ઈજનેરી કાર્યને કારણે કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનોનું સંચાલન 25 જાન્યુઆરી સુધી ગોપ જામ સ્ટેશન પરથી થશે .રાજકોટ મંડળના કાનાલુસ સ્ટેશન પર પ્લેટફોર્મ મરામત કાર્ય ચાલી રહેલ હોવાથી 25 જાન્યુઆરી, 2026 સુધી કા
ઈજનેરી કાર્યને કારણે કાનાલુસ ટ્રેન આંશિક રદ.


પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.)ઈજનેરી કાર્યને કારણે કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનોનું સંચાલન 25 જાન્યુઆરી સુધી ગોપ જામ સ્ટેશન પરથી થશે .રાજકોટ મંડળના કાનાલુસ સ્ટેશન પર પ્લેટફોર્મ મરામત કાર્ય ચાલી રહેલ હોવાથી 25 જાન્યુઆરી, 2026 સુધી કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનોનું સંચાલન આંશિક રીતે પ્રભાવિત રહેશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર ટ્રેન નંબર 59206 પોરબંદર-કાનાલુસ લોકલ 31 ડિસેમ્બર, 2025 થી 25 જાન્યુઆરી, 2026 સુધી પોરબંદરથી પ્રસ્થાન કરીને ગોપજામ સ્ટેશન સુધી જ ચાલશે તેમજ ગોપજામ-કાનાલુસ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેમજ ટ્રેન નંબર 59205 કાનાલુસ-પોરબંદર લોકલ 31 ડિસેમ્બર, 2025 થી 25 જાન્યુઆરી, 2026 સુધી કાનાલુસની બદલે ગોપજામ સ્ટેશનથી ચાલશે અને કાનાલુસ-ગોપજામ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રેલવે મંડળ દ્વારા રેલ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry. indianrail.gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande