જૂનાગઢ તાલુકા (શહેર) કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 ડિસેમ્બરે
જૂનાગઢ 9 ડિસેમ્બર (હિ.સ.) નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે જૂનાગઢ તાલુકા (શહેર) માટેનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 ડિસેમ્બર નાં રોજ સવારે મામલતદા
જૂનાગઢ તાલુકા (શહેર) કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 ડિસેમ્બરે


જૂનાગઢ 9 ડિસેમ્બર (હિ.સ.) નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે જૂનાગઢ તાલુકા (શહેર) માટેનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 ડિસેમ્બર નાં રોજ સવારે મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કચેરી, તાલુકા સેવા સદન, સરદાર બાગ, જૂનાગઢ ખાતે યોજાશે.

આ કાર્યક્રમ માટે કોઈપણ અરજદારને અરજી કરતાં પહેલાં શહેરી વિસ્તારનો પ્રશ્ન હોય તો સીટી તલાટીશ્રીને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રશ્ન અંગે લેખિતમાં રજુઆત કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય તેમજ આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો શહેર કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા હોવા જોઈએ.

આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નનાં આધાર પૂરાવા સાથે રજુઆત કરી શકશે. ઉપરાંત અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો નહિ થઈ શકે. અરજદારોએ નિયત સમય મર્યાદામાં પોતાના પ્રશ્નો લેખિત સ્વરૂપે રજુ કરવાના રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande