ભરૂચમાં દર્શક છાવા ફિલ્મમાં સંભાજીને મુઘલો દ્વારા મારતા જોઈ શક્યો નહીં અને સ્ક્રીન ફાડી નાખી
•મુઘલો અને મરાઠાઓ પર આધારીત ફિલ્મના ક્લાઇમેક્સ સીન દરમિયાન આરકે સિનેમામાં બનેલી ઘટના •સિનેમા સંચાલકે દર્શકને બહાર કાઢી પોલીસને સોંપી દીધો -પોલીસે મિલકતને નુકસાન અને દારૂ પીવાનો કેસ પણ નોંધ્યો •ઘટના પછી, થિયેટર સંચાલકે 12 દર્શકોને પૈસા પરત કર્
ભરૂચમાં દર્શક છાવા ફિલ્મમાં સંભાજીને મુઘલો દ્વારા મારતા જોઈ શક્યો નહીં અને સ્ક્રીન ફાડી નાખી


ભરૂચમાં દર્શક છાવા ફિલ્મમાં સંભાજીને મુઘલો દ્વારા મારતા જોઈ શક્યો નહીં અને સ્ક્રીન ફાડી નાખી


ભરૂચમાં દર્શક છાવા ફિલ્મમાં સંભાજીને મુઘલો દ્વારા મારતા જોઈ શક્યો નહીં અને સ્ક્રીન ફાડી નાખી


ભરૂચમાં દર્શક છાવા ફિલ્મમાં સંભાજીને મુઘલો દ્વારા મારતા જોઈ શક્યો નહીં અને સ્ક્રીન ફાડી નાખી


•મુઘલો અને મરાઠાઓ પર આધારીત ફિલ્મના ક્લાઇમેક્સ સીન દરમિયાન આરકે સિનેમામાં બનેલી ઘટના

•સિનેમા સંચાલકે દર્શકને બહાર કાઢી પોલીસને સોંપી દીધો -પોલીસે મિલકતને નુકસાન અને દારૂ પીવાનો કેસ પણ નોંધ્યો

•ઘટના પછી, થિયેટર સંચાલકે 12 દર્શકોને પૈસા પરત કર્યા જ્યારે અન્ય લોકોને બીજી સ્ક્રીન પર બેસાડીને ફિલ્મ બતાવી

ભરૂચ 17 ફેબ્રુઆરી (હિ.સ.). ભરૂચના આરકે સિનેમામાં મરાઠા સંભાજી મહારાજ અને મુઘલો પર આધારિત ફિલ્મ 'છાવા'ના સ્ક્રીનિંગ દરમિયાન, એક દર્શકે સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો જેથી તે ક્લાઇમેક્સ સીનમાં સંભાજીને મારતા જોઈ ના શક્યો એટલે તેનો રોષ તેણે સ્ક્રીન પર કાઢી પડદો ફાડી નાખ્યો હતો.

ભરૂચમાં મુઘલો અને મરાઠાઓ વચ્ચેના યુદ્ધના ઇતિહાસ પર આધારિત ફિલ્મ 'છાવા'ના શો દરમિયાન એક દર્શકે થિયેટરનો પડદો ફાડી નાખ્યો હતો. ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલા આરકે સિનેમામાં ફિલ્મ 'છાવા'ના સ્ક્રીનિંગ દરમિયાન, જયેશ વસાવા નામનો દર્શક ભાવુક થઈ ગયો અને એક દ્રશ્ય દરમિયાન પડદો ફાડી નાખ્યો હતો.

આ ઘટના તે દ્રશ્ય દરમિયાન બની હતી જ્યાં મુઘલોએ મરાઠા યોદ્ધાઓને માર માર્યો હતો. ઘટના બાદ, દર્શકને પોલીસને સોંપવામાં આવ્યો હતો.આ કેસમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરકે સિનેમાના સંચાલકો દ્વારા દર્શક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

થિયેટર મેનેજર રાહુલ સુદના જણાવ્યા મુજબ, ફિલ્મના એક દ્રશ્યમાં મરાઠા યોદ્ધાઓ પર મુઘલોના અત્યાચાર દર્શાવવામાં આવ્યા હતા, ત્યારે એક દર્શક, જયેશ વસાવા, અચાનક ગુસ્સે થઈ ગયો અને તેણે અગ્નિશામક વડે મુઘલ છબી પર હુમલો કર્યો, જેના કારણે આરકે સિનેમાની સ્ક્રીન 3 ની સ્ક્રીન ફાટી ગઈ હતી. આ પછી પણ, જયેશ સ્ક્રીન પર પોતાનો ગુસ્સો ઠાલવતો રહ્યો અને સ્ક્રીનનો મોટો ભાગ ફાડી નાખ્યો હતો. થિયેટર સંચાલકોએ સુરક્ષા કર્મચારીઓની મદદથી દર્શકને ત્યાંથી દૂર કર્યો અને પોલીસને સોંપી દીધો હતો. જેમને પોલીસે કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના પછી, થિયેટર સંચાલકે 12 દર્શકોને ટિકિટ પરત કરી દીધી હતી. જ્યારે બાકીના દર્શકોને બીજી સ્ક્રીન પર બેસાડવામાં આવ્યા હતા અને બાકીની ફિલ્મ બતાવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande