ગીર સોમનાથ નાળિયેરીમાં સફેદ માખીના ઉપદ્રવને રોકવા માટે સૂચનો
ગીર સોમનાથ, 18 ફેબ્રુઆરી (હિ.સ.). નાળિયેરીના બગીચા ( ૧ થી ૩ વર્ષના ઝાડ) ધરાવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, સફેદમાખીના (રૂગોસ સ્પાયરર્લિંગ) અસરકારક નિયંત્રણ માટે પાયરીપ્રોક્સીફેન ૧૦% + બાયફેન્થ્રીન ૧૦% ઇ.સી. ૦.૦૨% (૧૦ મીલી/૧૦ લીટર પાણી) અથવા સ્પ
ગીર સોમનાથ નાળિયેરીમાં સફેદ માખીના ઉપદ્રવને રોકવા માટે સૂચનો


ગીર સોમનાથ, 18 ફેબ્રુઆરી (હિ.સ.). નાળિયેરીના બગીચા ( ૧ થી ૩ વર્ષના ઝાડ) ધરાવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, સફેદમાખીના (રૂગોસ સ્પાયરર્લિંગ) અસરકારક નિયંત્રણ માટે પાયરીપ્રોક્સીફેન ૧૦% + બાયફેન્થ્રીન ૧૦% ઇ.સી. ૦.૦૨% (૧૦ મીલી/૧૦ લીટર પાણી) અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ.સી ૦.૦૨૭% (૧૨ મીલી/૧૦ લીટર પાણી ) અથવા ડાયાફેન્થીયુરોન ૫૦% ડબ્લ્યુ.પી. ૦.૦૫% ( ૧૦ ગ્રામ/૧૦ લીટર પાણી), સ્ટાર્ચ ૧% ( ૧૦ ગ્રા/લીટર પાણી ) સાથે, પ્રથમ છંટકાવ જીવાતનો ઉપદ્રવ શરુ થયે અને ત્યારબાદ બીજો અને ત્રીજો છંટકાવ, પ્રથમ છંટકાવના ૧૦ દિવસના અંતરે કરવો.

નાળિયેરીના બગીચા (૫ વર્ષથી વધારે ઉંમરનાં ઝાડ) ધરાવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, સફેદમાખીના (રૂગોસ સ્પાયરલિંગ) નિયંત્રણ માટે મૂળ શોષણ (પેન્સીલ જાડાઇનું મૂળ) પધ્ધતિથી પ્રતિ ઝાડ દીઠ ૧૦ મી.લી. પાણી સાથે મોનોક્રોટોફોસ ૩૬ એસ.એલ.@ ૧૦ મિ.લી. દવા ભેળવી, પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ શરુ થયે અને બીજી માવજત પ્રથમ માવજતના એક મહિનાના અંતરે કરવી. મૂળ શોષણની માવજત અને નાળિયેરને ઉતારવા વચ્ચેનો ગાળો ૩૦ દિવસ રાખવો. જેથી ખુબજ અસરકારક પરિણામો મેળવી શકાય છે.

(રૂગોસ સ્પાયરલિંગ વ્હાઇટ ફ્લાય)ના ઉપદ્રવને અટકાવવા માટેના જૈવિક પગલાઓ. નાળિયેરીના બગીચા ધરાવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, સફેદમાખીના (રૂગોસ સ્પાયરર્લિંગ) અસરકારક નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના ૧.૧૫ ડબલ્યુ.પી ( ન્યુનતમ ૧ x ૧૦૮ સીએફયુ/ગ્રા.) ૦.૦૦૯% ( ૮૦ ગ્રા./૧૦ લીટર પાણી ) અથવા આયસેરીયા કૂમોસોરોસિયા ૧.૧૫ ડબલ્યુ.પી. (ન્યુનતમ ૧ x ૧૦૮ સીએફયુ/ગ્રા) ૦.૦૦૯% ( ૮૦ ગ્રા./૧૦ લીટર પાણી ), સ્ટાર્ચ ૧% ( ૧૦ ગ્રા./લીટર પાણી ) સાથે પ્રથમ છંટકાવ જીવાતનો ઉપદ્રવ શરુ થયે અને ત્યારબાદ બીજો અને ત્રીજો છંટકાવ, પ્રથમ છંટકાવના ૧૦ દિવસના અંતરે કરવો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande