ભાવનગર 20 ફેબ્રુઆરી (હિ.સ.). જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રીના મેળા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રિયોની સુવિધા માટે, 22.02.2025 થી 28.02.2025 દરમિયાન 4 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
1. ટ્રેન નંબર 19119/19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળમાં વેરાવળથી 22.02.2025 થી 27.02.2025 સુધી અને ગાંધીનગર કેપિટલથી 23.02.2025 થી 28.02.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
2. ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-રાજકોટ-પોરબંદરમાં પોરબંદરથી 22.02.2025 થી 27.02.2025 સુધી અને રાજકોટથી 22.02.2025 થી 27.05202 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
3. ટ્રેન નંબર 59558/59559 ભાવનગર-વેરાવળ-ભાવનગરમાં ભાવનગર ટર્મિનસથી 22.02.2025 થી 27.02.2025 સુધી અને વેરાવળથી 22.02.2025 થી 27.02.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
4. ટ્રેન નંબર 59560/59557 ભાવનગર-પોરબંદર-ભાવનગરમાં ભાવનગર ટર્મિનસથી 22.02.2025 થી 27.02.2025 સુધી અને વેરાવળથી 23.02.2025 થી 28.02.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ