PM મોદીના બે -દિવસના પ્રોગ્રામ માટે સુરત અને નવસરી સિસ્ટમ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી
સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.)-ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય રાજ્યના પ્રવાસે આવશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી મહત્ત્વના બે કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં સુરત અને નવસારીમાં આયોજિત કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપ્યા બાદ 8
PM Modi's arrival in Vadodara


સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.)-ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય રાજ્યના પ્રવાસે આવશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી મહત્ત્વના બે કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં સુરત અને નવસારીમાં આયોજિત કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપ્યા બાદ 8 માર્ચની સાંજે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે. સુરતમાં રાત્રિ રોકાણ વખતે ગુજરાત ભાજપના નવા પ્રમુખના નામે અંગે ચર્ચા થઈ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7-8 માર્ચ, 2025ના રોજ બે દિવસ માટે રાજ્યના પ્રવાસે આવશે. જેમાં તેમણે 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન હાજર રહીને વૃદ્ધોમાં કિટનું વિતરણ કરશે અને સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે.

8 માર્ચ મહિલા દિવસે નવસારીમાં યોજાવનારા કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજના સમયે તેમણે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે. બે દિવસના કાર્યક્રમને લઈને હાલ સુરત અને નવસારી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande