ભાવનગર,26 ફેબ્રુઆરી (હિ.સ.) સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવારના રોજ કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 200 કિલો મોસંબીનો અન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7: 00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામા આવેલ, અનેક ભક્તોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આજના શણગાર -અન્નકૂટ વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે આજે કષ્ટભંજન હનુમાનજી દાદાને પ્યોરસિલ્કના વાઘા અમદાવાદમાં સાત દિવસની મહેનતે એક હરિભક્તના ઘરે બનાવીને મોકલ્યા છે જેમાં આકર્ષક ડીઝાઇન કરવામાં આવી છે. આજે 200 કિલો મોસંબીનો અન્નકૂટ દાદાને ધરાવાયો છે તે મોસંબી મહેસાણાથી એક હરિભક્ત લાવ્યા છે જે પ્રસાદમાં ભક્તોને આપશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ