વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બાળકોને, મેદસ્વિતાથી જાગૃત કરવા માટે 15 દિવસીય સમર કેમ્પ યોજાયો
વલસાડ, 27 મે (હિ.સ.)-‘‘મન કી બાત’’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મેદસ્વિતા ઘટાડવા ઉપર ભાર મુકી તંદુરસ્ત જીવન જીવવા માટે આહવાન કરાયું હતું. જે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત
Vadodara


વલસાડ, 27 મે (હિ.સ.)-‘‘મન કી બાત’’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મેદસ્વિતા ઘટાડવા ઉપર ભાર મુકી તંદુરસ્ત જીવન જીવવા માટે આહવાન કરાયું હતું. જે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરાવતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વલસાડ જિલ્લાના છેવાડામાં પણ આ અભિયાન સાર્થક થાય તે માટે કપરાડા તાલુકાના દિનબારી ફળિયામાં પ્રથમ વખત 15 દિવસના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને મેદસ્વિતાથી થતા નુકસાન અને યોગ –પ્રાણાયામથી થતા ફાયદા તેમજ તેઓમાં સંસ્કારનું સિંચન થાય તે હેતુથી માતૃ- પિતૃ વંદન કાર્યક્રમ પણ યોજાયો હતો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોમાં અનુશાસન, સંસ્કાર સિંચન અને સ્વાસ્થ્ય વર્ધન થાય તેમજ જંકફૂડ અને પેકેટ ફૂડ આહારના બદલે પૌષ્ટિક આહાર લઈ શકે તે માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત 10 દિવસના બદલે 15 દિવસનું સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં પાંચ સમર કેમ્પ ચાલી રહ્યા છે. જેમાં 5 થી 16 વર્ષના બાળકો ભાગ લઈ રહ્યા છે. બાળકોને ઉપયોગી તેવા યોગ આસનો, પ્રાર્થના, ગીતાના શ્લોકો તેમજ અન્ય વિષય સાથેનો સિલેબસ તૈયાર કરવામાં આવ્યો છે, જે સમગ્ર રાજ્યમાં એક જ છે. ખાસ કરીને બાળકો માતા પિતા અને વડીલોના ચરણ સ્પર્શ કરીને આવે, તે ફરજિયાત કરાયું છે.

આ સંદર્ભે તા. 24મી મે ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે દ્વારા, બાળકોમાં સંસ્કાર સિંચન થાય તે હેતુસર આદિવાસી વિસ્તાર કપરાડા તાલુકાના દિનબારી ફળિયામાં પ્રાથમિક શાળામાં ચાલતા સમર કેમ્પમાં માતૃ- પિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. જેમાં ભૂલકાઓ દ્વારા માતૃ- પિતૃ વંદન કરવામાં આવ્યું અને વાલીઓ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. પંદર દિવસીય કેમ્પનું સંચાલન યોગ ટ્રેનર પંકજભાઈ આશરીયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં પાંચે સ્થળો પર ચાલતા સમર કેમ્પ જિલ્લા કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. કાર્યક્રમ ઉપરાંત બાળકો માટે પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande