પોરબંદર, 27 મે (હિ.સ.) ન્યાયના દેવ ગણતા શનિદેની આવતીકાલે તા. 28ને મંગળવારના રોજ જન્મજયંતિને લઇ શનિભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શનિજયંતિની પૂર્વ સંધ્યાએ પોરબંદરથી શનિદેવના જન્મ સ્થાન હાથલા સુધીની પદયાત્રાનુ પ્રસ્થાન થયુ હતુ જય શનિદેવના નાદ સાથે 300થી વધારે શનિ ભકતો પદયાત્રામા જોડાયા હતા સોબર ગૃપ દ્રારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શનિ જયંતિ નિમિતે પદયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જયુબેલી પુલ નજીકથી રથયાત્રાનુ પ્રસ્થાન થયુ હતુ યાત્રાના પ્રસ્થાન પૂર્વે સોબર ગૃપ દ્રારા શનિદેવની આરતી કરવામા આવી હતી જેમાં પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા સોબર ગૃપના સભ્યો દ્રારા પણ શનિદેવની આરતી કરવામા આવી હતી 27 કિમી લાંબી શોભાયાત્રામાના રૂટ પર શનિ ભકતો માટે ચા-પાણી અને નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી પદયાત્રા મંગળવારે વ્હલી સવારે શનિદેવના જન્મ સ્થાન ખાતે પહોચી હતી અને શનિદેવની પુજા-અર્ચન કરી અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya