જૂનાગઢ, 27 મે (હિ.સ.) ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત માટે ટેકાના ભાવમાં ઘઉં માટે રૂ. ૨,૪૨૫/- પ્રતિ ક્વિટલ જાહેર કરવામાં આવ્યો છે. જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦/- પ્રતિ ક્વિટલ બોનસ આપવામાં આવશે. રાજ્યના ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫- ૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે હાલમાં કરવામાં આવી રહેલ છે.
ઘઉંની પ્રાપ્તિની સમય મર્યાદા આગામી તારીખ ૩૧/૦૫/૨૦૨૫ સુધી નિયત કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂ.૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે. જેનો લાભ લેવા જૂનાગઢ જિલ્લાના તમામ ખેડુત મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-૨), ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ