પોરબંદર જિલ્લાના રતનપુર ગામના જમીન રે.સ.નં.1992ની જાહેર હરાજી કરાશે.
રતનપુર ગામના જમીનની જાહેર હરાજી કરાશે.
પોરબંદર જિલ્લાના રતનપુર ગામના જમીન રે.સ.નં.1992ની જાહેર હરાજી કરાશે.


પોરબંદર, 27 મે (હિ.સ.) પોરબંદર તાલુકાના રતનપર ગામની જમીન અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા SCA NO.11499/2001 સિમેન્ટ વર્ક મંડળ વિરુધ્ધ કલેકટર. તથા અન્યોના કામે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વંચાણે લીધા તા.09/04/2025 ના ઓરલ ઓર્ડર તથા તા.22-04-2025 ના રોજની સુનાવણીમાં થયેલ આદેશાનુસાર રતનપર ગામના રે.સ.નં, 1992 (જુના સ.નં.265) ની જમીન હે. 1-99-31ની ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી હેતુ માટેની જમીનમાં કુલ 1 થી 17 પ્લોટની જમીન મહેસુલ કાયદાની કલમ-166 મુજબ મિલકતનું વેચાણ કરવાનું કરાશે.જમીન મહેસૂલ કાયદાની કલમ-167 મુજબ વેચાણ કરનાર અધિકારી તરીકે નાયબ કલેક્ટર પોરબંદરને અધિકૃત કરવામા આવ્યાં છે. આ 1 થી 17 પ્લોટની જમીનની અપસેટ પ્રાઈઝ સાથે છે, આ જમીનની કબજા કિંમત ભરીને જાહેર હરરાજીથી રાખવા ઈચ્છતા હોય તેવા સંબંધકર્તાઓને અને હરરાજીમાં ભાગ લેવા ઈચ્છતા વ્યક્તિઓએ નિયત નમૂનાના અરજી ફોર્મમાં જરૂરી આધાર પુરાવા સાથે નાયબ કેલેક્ટર કચેરી પોરબંદર ખાતે તા.23-06-2025 સુધીમાં અરજી કરવાની રહેશે.નિયત સમય બાદની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. નિયત નમૂનાનું અરજી ફોર્મ જાહેરનામું બહાર પડયેથી નાયબ કેલેક્ટર કચેરીએથી મળી શકશે. તેમજ તા.26-06-2025 ના રોજ સમય : 11-00થી 13-00 દરમિયાન પ્રાંત કચેરી, 207, બીજો માળ, સેવા સદન-1, સાંદીપની રોડ, પોરબંદર ખાતે હરરાજી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande