પાટણ, 27 મે (હિ.સ.) ગુજરાતના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના પુત્રના લગ્ન પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ખાસ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.
મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનનો પ્રેમ અને સ્નેહ નવદંપતી માટે ભાવિ જીવનમાં પ્રેરણારૂપ સાબિત થશે. તેઓએ ઉમેર્યું કે વડાપ્રધાનની ઉપસ્થિતિ યુવદંપતીમાં રાષ્ટ્રસેવાનો સંકલ્પ વધુ મજબૂત કરશે.
બલવંતસિંહ રાજપૂતે, પોતાનું આમંત્રણ સ્વીકારી ઉપસ્થિત રહેવા બદલ, વડાપ્રધાનનો પરિવાર તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર