અંબાજી ખાતે  સામાજીક વનીકરણ અંતર્ગત બીજ મેળાનુ કરાયું આયોજન
અંબાજી,28મે[હિ. સ]સામાજીક વનીકરણ વર્તુળ મહેસાણા દ્વારા તેઓના તાબા હસ્તકના ત્રણ વિભાગો સામાજીક વનીકરણ વિભાગ બનાસકાંઠા-પાલનપુર, સામાજીક વર્ગીકરણ વિભાગ મહેસાણા, સામાજીક વનીકરણ વિભાગ સાબરકાંઠા અને વન્યજીવ વિભાગ બનાસકાંઠા પાલનપુર ના સંયુ
Ambaji bij melo yojayo


અંબાજી,28મે[હિ. સ]સામાજીક વનીકરણ વર્તુળ મહેસાણા દ્વારા

તેઓના તાબા હસ્તકના ત્રણ વિભાગો સામાજીક વનીકરણ વિભાગ બનાસકાંઠા-પાલનપુર, સામાજીક વર્ગીકરણ વિભાગ મહેસાણા, સામાજીક વનીકરણ વિભાગ સાબરકાંઠા અને

વન્યજીવ વિભાગ બનાસકાંઠા પાલનપુર ના સંયુકત કક્ષાના બીજ મેળાનું આયોજન ઉત્તર ગુજરાતમાં

સૌપ્રથમ વાર સામાજીક વનીકરણ વિભાગ બનાસકાંઠા-પાલનપુર દ્વારા ગાયત્રી શક્તિપીઠ, ગબ્બર રોડ, અંબાજી ખાતેઆયોજીત કરવામાં આવેલ હતો. જેમાં

મુખ્ય મહેમાન તરીકે ડૉ.કે.સસીકુમાર (ભા.વ.સે), મુખ્ય વન સંરક્ષક PERG,

ગાંધીનગર, પ્રેરક ઉપસ્થિતિ મહેમાન તરીકે ડૉ.

શકીરા બેગમ (ભા.વ.સે). નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ મહેસાણા તથા.એસ.ડી.પટેલ (ગુ.વ.સે), સામાજીક વનીકરણ વિભાગ સાબરકાંઠા તથાપી.જે.ચૌધરી (ગુ.વ.સે), નાયબ વન સંરક્ષક, વન્યજીવ વિભાગ, બનાસકાંઠા હાજર રહેલ હતા. તમામ બીજ

મેળા ક્રાર્યક્રમ નું આયોજન .પી.જી.ગાર્ડી (ભા.વ.સે), નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ

બનાસકાંઠા-પાલનપુરના માર્ગદર્શન હેઠળ ડૉ.એમ.એસ.માળી, મ.વ.સ., તથા વિસ્તરણ રેંજ દાંતા આર.એફ.ઓ.

પી.ડી.ચૌધરી તથા તમામ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર તથા સામાજીક વનીકરણ વિભાગના વનપાલ

અને વનરક્ષક દ્વારા ખુબ ઉત્કૃષ્ટ અને સારી કામગીરી કરી સફળ બનાવવામાં સહયોગી થયેલ

હતા.

બીજ મેળો એ એક અનોખી પહેલ છે જેનો ઉદ્દેશ્ય સ્વદેશી વૃક્ષોની

પ્રજાતિઓ, ટકાઉ

વનીકરણ પ્રથાઓ અને સમુદાય જોડાણને પ્રોત્સાહન આપવાનો, બીજ સંરક્ષણ અને ગુણવત્તાયુક્ત વાવેતર

સામગ્રીના મહત્વ વિશે જાગૃતિ વધારવી, બીજ સંરક્ષણ પ્રયાસોમાં સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહિત કરવી, બીજ સંગ્રહ અને પ્રસાર પર તકનીકી

ઇનપુટ્સ અને માર્ગદર્શન પૂરું પાડવું. આ કાર્યક્રમ સ્થાનિક સમુદાયો, ખેડૂતો અને નિષ્ણાતો સહિત

હિસ્સેદારોને વૃક્ષો અને જંગલોના મહત્વની ઉજવણી કરવા માટે એકસાથે લાવવા માટે ખુબ

ફળદાયી નિવડશે. આમ સ્વદેશી વૃક્ષોની પ્રજાતિઓ અને ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રીના

મહત્વને પ્રકાશિત કરીને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પર્યાવરણને હરિયાળું બનાવી વધુ

ટકાઉ બનાવી ભવિષ્યમાં યોગદાન આપવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande