મોડાસા, 28 મે (હિ.સ.) આજ રોજ ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કાશીવિશ્વનાથ મંદિર પાસે નગરપાલિકા પ્રમુખ ડૉ.પ્રિયંકાબેન ખરાડીના હસ્તે નગરના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.
(૧) અંબિકા કોમ્પલેક્ષથી પમ્પીંગ સ્ટેશન તરફ વરસાદી પાણી નિકાલ અને ન.પા. હસ્તકના સી.સ.નં.૨૬૮૪ની કમ્પાઉન્ડ વોલ તથા પ્લાન્ટેશનનું કામ (૨) સિવિલ રોડથી આશિષ હોસ્પિટલ સુધી, શ્રીજી બંગ્લોઝના મુખ્ય રોડથી દેવીનગર કંપાના મુખ્ય રોડ સુધી, મહાકાળી મંદિર પાછળના રસ્તાઓનું સી.સી તથા પેવરબ્લોકનું કામ અને કાશી વિશ્વનાથ મંદિરથી રામેશ્વર હોસ્ટેલ સુધીના જોડતા રસ્તાનું સીસી કામ તથા પ્રોટેકશન દિવાલનું કામ ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.જેમાં નગરપાલિકા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ,કારોબારી ચેરમેન નિકુંજભાઈ રાવલ,શહેર મહામંત્રી ભવેન્દ્રસિંહ સોલંકી તથા નગરપાલિકાના કોર્પોરેરો,નગરપાલિકાના કર્મચારીઓ,નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ