પાટણ નગર પાલિકાએ મિલકત વેરા સંબંધિત 284 અરજીઓની સુનાવણી પૂરી કરી
પાટણ, 28 મે (હિ.સ.)પાટણ નગર પાલિકાની વેરા શાખાએ મિલકત વેરા સંબંધિત વિસંગતતાઓને લઈ અરજીઓની સુનાવણી હાથ ધરી હતી. પાલિકાએ શહેરની મિલકતોની ક્ષેત્રફળ આધારિત આકારણીમાં થયેલી વિસંગતતા અંગે વેરાદારોને વાંધા અરજી કરવા નોટિસ આપી હતી, જેના જવાબે કુલ 15 વેરા વોર
પાટણ નગર પાલિકાએ મિલકત વેરા સંબંધિત 284 અરજીઓની સુનાવણી પૂરી કરી


પાટણ, 28 મે (હિ.સ.)પાટણ નગર પાલિકાની વેરા શાખાએ મિલકત વેરા સંબંધિત વિસંગતતાઓને લઈ અરજીઓની સુનાવણી હાથ ધરી હતી. પાલિકાએ શહેરની મિલકતોની ક્ષેત્રફળ આધારિત આકારણીમાં થયેલી વિસંગતતા અંગે વેરાદારોને વાંધા અરજી કરવા નોટિસ આપી હતી, જેના જવાબે કુલ 15 વેરા વોર્ડમાંથી 284 અરજીઓ મળી આવી હતી.

કારોબારી સમિતિના ચેરમેન મુકેશ જે. પટેલની આગેવાનીમાં સુનાવણી યોજાઈ હતી. તેમાં સમિતિના સભ્યો ડો. નરેશ દવે, મહેશ પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ અને આભાબેન મોદી હાજર રહ્યા હતા. આ સુનાવણીઓમાં મિલકતની આકારણી, એકત્રીકરણ, ક્ષેત્રફળમાં વિસંગતતા, ભાડવાત તથા મિલકતના હેતુ ફેરવવાના મુદ્દાઓનો સમાવેશ થયો હતો.

પાલિકાના ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ લક્ષ્મણભાઈ પટેલ અને સંજયભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાપ્ત થયેલી તમામ 284 અરજીઓનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande