પોરબંદર, 28 મે (હિ.સ.) પોરબંદર જિલ્લામાં તસ્કરોએ ફરીએકવાર મંદિર ની નિશાન બનાવ્યું છે.પોરબંદર તાલુકાના ભાવપરા ગામે આવેલા આવડ માતાજીના મંદિરે કોઈ અજાણ્યા ચોર, ઈસમો દ્વારા રાત્રીના 2 થી 3 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન માતાજીના મંદિરમાં પ્રવેશ કરી મંદિરના ગર્ભગૃહની બહાર રાખેલ દાનપેટી તોડી દાંપેટીમાં રહેલા અંદાજીત 25,000 રૂપિયાની રોકડ રકમ ની ચોરી થઈ હોવા નું સામે આવતા મંદિરના પૂજારી રામજીભાઈ ઉમાશંકર ધ્યાનીએ બગવદર પોલીસ સ્ટેશન ખાતે ચોરી અંગે ની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોર ની શોધખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya