માંજલપુરમાં યુવાન બિઝનેસમેનનો આપઘાત, પોલીસ તપાસ શરૂ
વડોદરા, 28 મે (હિ.સ.)-વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વસવાટ કરતાં એક યુવાન બિઝનેસમેને ગળે ઓઢણી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે આપઘાતના સાચા કારણો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક સુનિલભાઇ દળ
1 murder


વડોદરા, 28 મે (હિ.સ.)-વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વસવાટ કરતાં એક યુવાન બિઝનેસમેને ગળે ઓઢણી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે આપઘાતના સાચા કારણો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

મૃતક સુનિલભાઇ દળવી (ઉંમર 32) પુષ્પ હાઇટ્સમાં રહેતા હતા અને સોલર પેનલનો ધંધો કરતા હતા. મળતી માહિતી મુજબ, ગઇકાલે રાત્રે તેઓ ઓફિસેથી ઘરે પરત આવ્યા હતા. તેમનાં પત્ની મિનલબેન, જે ફેશન ડિઝાઇનિંગનું કામ કરે છે અને હાલ ગર્ભવતી છે, તેમણે ભોજન માટે પૂછતાં સુનિલભાઇએ ભોજન લેવાનો ઇનકાર કર્યો હતો, જેથી મિનલબેન ચાલવા નીકળી ગયા હતા.

પછી પરત ફર્યા પછી થોડી વાતચીત બાદ સુનિલભાઇ બીજા રૂમમાં ગયા હતા. થોડા સમય બાદ પત્ની રૂમમાં ગયા ત્યારે તેમને પતિ ગળે ફાંસો ખાધેલા હાલતમાં મળ્યા હતા. તરત જ પડોશીઓની મદદથી ઓઢણી કાપી સુનિલભાઇને નીચે ઉતારી હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હોવાનું ડોકટરે જાહેર કર્યું.

આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇએ વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande