સોમનાથ પ્રભાસ પાટણ નગરપાલિકા, ગંદકી બાબત ઘોર બેદરકારી
ગીર સોમનાથ 29 મે (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ માં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે ઠેર ઠેર ગંદકીના થર વધી રહ્યા છે અને જો આવું ને આવું ચાલ્યું તો ગામમાં રોગચાળો વધવાની સંભાવના છે. સોમનાથ તીર્થમાં ગામમાં પ્રવેશવાના મુખ્ય દરવાજા સ
સોમનાથ પ્રભાસ પાટણ નગરપાલિકા, ગંદકી બાબત ઘોર બેદરકારી


ગીર સોમનાથ 29 મે (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ માં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે ઠેર ઠેર ગંદકીના થર વધી રહ્યા છે અને જો આવું ને આવું ચાલ્યું તો ગામમાં રોગચાળો વધવાની સંભાવના છે.

સોમનાથ તીર્થમાં ગામમાં પ્રવેશવાના મુખ્ય દરવાજા સમા શિવ પોલીસ ચોકી પાસે આવેલ સીટી બસ સ્ટેશન પાસે ગંદા વરસાદી પાણીનું ખાબોચ્યુ કેટલાય દિવસથી ગંદવાડ સાથે પડ્યું છે જે ગંદકી દૂર કરવા કે તે ખાડો પુરવા નગરપાલિકા તસદી લેતી નથી મચ્છરોના ઉપદ્રવ થઈ રોગચાળો થવાની શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande