ગાંધીનગર, 29 મે (હિ.સ.) : વર્ષ 2017 થી દર વર્ષે કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વ નેતૃત્વ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ, પર્યાવરણ અને પહાડો વચ્ચે રહી સાહસિક પ્રવૃત્તિઓ સાથે મૂલ્યો આધારિત જીવન ઘડતર માટેનું જ્ઞાન, કૌશલ્ય અને હકારાત્મક નેતૃત્વ કરવા માટેનું શિક્ષણ પીરસવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ તારીખ 27 મે થી 05 જૂન, 2025 દરમિયાન એડવાન્સ સર્વ નેતૃત્વ કાર્યક્રમ મનાલી, હિમાચલ પ્રદેશ ખાતે યોજાશે જેમાં સર્વ વિદ્યાલયની 13 કોલેજના 17 વિધાર્થિનીઓ, 21 વિદ્યાર્થીઓ અને 3 પ્રોફેસરો ટ્રેન મુસાફરી દ્વારા ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી જોરદાર ઉત્સાહ સાથે રવાના થયા. સર્વ વિદ્યાલય કેળવણી મંડળના, ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના, પ્રેસિડેન્ટ વલ્લભભાઈ પટેલ સાહેબ દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓને 10 દિવસના કાર્યક્રમ માટે શુભકામનાઓ અને શુભાશિષ પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ