રાષ્ટ્ર સેવિકા સમિતિના ગુજરાત પ્રાંતનો સિદ્ધપુર ખાતે પથસંચલન કરવામાં આવ્યું
પાટણ, 29 મે (હિ.સ.)રાષ્ટ્ર સેવિકા સમિતિના ગુજરાત પ્રાંતનો પ્રશિક્ષણ વર્ગ ૧૪.૦૫.૨૦૨૫ થી પ્રારંભ થઈ ૨૭.૦૫.૨૦૨૫ના સિદ્ધપુર ખાતે શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે સંપન્ન થયો. આ પ્રશિક્ષણ વર્ગના પૂર્ણાહુતિ નિમિતે વર્ગમાં સહભાગી શિક્ષાર્થીઓ દ્વારા સિદ્ધપુરના મા
નિયમિત જીવનમાં પંચપરિવર્તન અપનાવીએ; ઓપરેશન સિંદુરએ નારીશક્તિના સફળ નેતૃત્વનું પ્રતિક: અ.ભા. સેવા પ્રમુખ સંધ્યાબેન ટીપરે


નિયમિત જીવનમાં પંચપરિવર્તન અપનાવીએ; ઓપરેશન સિંદુરએ નારીશક્તિના સફળ નેતૃત્વનું પ્રતિક: અ.ભા. સેવા પ્રમુખ સંધ્યાબેન ટીપરે


નિયમિત જીવનમાં પંચપરિવર્તન અપનાવીએ; ઓપરેશન સિંદુરએ નારીશક્તિના સફળ નેતૃત્વનું પ્રતિક: અ.ભા. સેવા પ્રમુખ સંધ્યાબેન ટીપરે


પાટણ, 29 મે (હિ.સ.)રાષ્ટ્ર સેવિકા સમિતિના ગુજરાત પ્રાંતનો પ્રશિક્ષણ વર્ગ ૧૪.૦૫.૨૦૨૫ થી પ્રારંભ થઈ ૨૭.૦૫.૨૦૨૫ના સિદ્ધપુર ખાતે શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે સંપન્ન થયો. આ પ્રશિક્ષણ વર્ગના પૂર્ણાહુતિ નિમિતે વર્ગમાં સહભાગી શિક્ષાર્થીઓ દ્વારા સિદ્ધપુરના માર્ગો પર ૨૭.૦૫.૨૦૨૫ના રોજ પથસંચલન કરવામાં આવ્યું અને સમાપન કાર્યક્રમનું આયોજન થયું.

૧૫ દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાતના વિવિધ સ્થાનોથી આવેલા ૬૬ શિક્ષાર્થી બહેનોએ પ્રશિક્ષણ લીધું. વર્ગમાં પ્રશિક્ષણ હેતુ વિવિધ સ્થાનથી આવેલી શિક્ષિકાઓ તથા અધિકારી અને વ્યવસ્થાપન હેતુ પ્રબંધિકાઓ સાથે કુલ સંખ્યા ૧૦૬ હતી. વર્ગના સમાપન કાર્યક્રમમાં શિક્ષાર્થીઓ દ્વારા શારીરિક પ્રશિક્ષણનું પ્રાત્યક્ષિક કર્યું. ત્યારબાદ વર્ગના વર્ગાધિકારી ગાયત્રીબેન ચૌહાણ દ્વારા વર્ગનું વૃત્ત કહેવામાં આવ્યું. આ વર્ગમાં વિશેષ રૂપે માધુકરી યોજના અંતર્ગત દરરોજ બંને સમયની રોટલી સિદ્ધપુર નગરમાંથી ઘરે ઘરેથી ભેગી કરી પહોંચાડવામાં આવતી હતી. એક દિવસ પ્રશિક્ષાર્થી બહેનોએ સિદ્ધપુર નગરના પરિવારો દ્વારા ઘરેથી ભોજન લાવી પરિવાર સાથે બેસી ભોજન લીધું જેને માતૃડસ્તેન ભોજન કહેવામાં આવે છે. વર્ગમાં બહેનોને સ્વરક્ષણ તથા બૌદ્ધિક પ્રશિક્ષણ સાથે વિવિધ સામાજિક આપદામાં કઈ રીતે કરી કરવું એનું પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું.

કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સિદ્ધપુરની મિશ્રી હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. મિત્તલબેન વ્યાસ, અતિથિ તરીકે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડૉ. ચેતનબા રાજપૂત ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના અખિલ ભારતીય સેવા પ્રમુખ મા. સંધ્યાબેન ટીપરેનું માર્ગદર્શન પ્રાપ્ત થયું.

મા. સંધ્યાબેનએ સેવિકાઓને માર્ગદર્શન આપતા કહ્યું કે, જેના મનમાં લેશ માત્ર પણ ભેદ નથી એ માતૃભાવ. આ ભારત માતાના અમે સૌ સંતાનો છીએ. થયું સર્વે સોયશા બાળકને સંસ્કાર આપવા સંયુક્ત પરિવાર જરૂરી છે. પર્યાવરણની જાળવણી માટે રોજિંદા જીવનમાં એને સ્થાન આપવું જોઈએ. આ સાથે એમણે ઓપરેશન

સિંદુરમાં નારીશક્તિના નેતૃત્વને બિરદાવ્યું. સંપૂર્ણ વંદેમાતરમના ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના ક્ષેત્ર સંચાલિકા માનનીય મંજુલાબેન પટેલ, પ્રાંત કાર્યવાહિકા નિતાબેન પ્રજાપતિ અને અન્ય પ્રાંત અધિકારીઓ તથા સિદ્ધપુર નગરના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande