પાટણ, 29 મે (હિ.સ.)સિદ્ધપુરના ઇસ્લામપુરા વિસ્તારમાં આવેલ એક મકાનમાં બે વૃદ્ધા મહિલાઓ ફસાઈ ગઈ હતી. આ બંને વૃદ્ધાઓ મકાનના ઉપરના માળે એકલતામાં જીવન જીવી રહી હતી. મકાનનો નીચેનો ભાગ બંધ હોવાથી તેઓ નીચે ઉતરી શકતી નહોતી.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક સિદ્ધપુર નગરપાલિકાના ફાયર વિભાગ, પાલિકા ચીફ ઓફિસર, ઊંઝાની ફાયર ટીમ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર ફાઇટર મુસ્તુફા ઝાલોરીએ સાહસિક રીતે મકાનમાં પ્રવેશ કરી બચાવ કામગીરી હાથ ધરી હતી.
બચાવ દરમિયાન રસીદાબેન મોહસીનભાઈ ઝાકીર ગોરેગાવવાલા મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે સાકીરાબેનને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર