ગીર સોમનાથ, 30 મે (હિ.સ.) કોડીનાર તાલુકાના શેરડી તથા ગોળ ઉત્પાદક ૧૮ ખેડૂતોને મહારાષ્ટ્રના ધુલિયા નાસિક સહિતના ગામો ના ૪૦ જેટલા કોન્ટ્રાક્ટરો (મુકાદમો) દ્વારા ૧,૧૫,૪૫,૦૦૦ ની છેતરપિંડી જે બાબતે ખેડૂતોની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવતી નથી કે કોઈ તપાસ થતી નથી આ બાબતે ગોળ ઉત્પાદક મંડળ દ્વારા આઈજી ને પત્ર ડીવાયએસપી ચૌધરી ને રૂબરૂ ફરિયાદ આપેલ અને જણાવેલ કે જો હવે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન તો ખરું પણ ગોળ ઉત્પાદકોએ આત્મોવિલોપન સુધીની ચીમકી આપી મૂળ હકીકત એવી છે કે શેરડી તથા ગોળ ઉત્પાદક ખેડૂતોને ગોળ ઉત્પાદન માટે મજૂરો ની જરૂર પડે શેરડીની કટાઈ, ભરાઈ તથા ગોળ ઉત્પાદનમાં તો જ રાબડા ચાલુ થઈ શકે જે માટે મજૂરો ખાંડ ફેક્ટરી પણ મજૂરો મહારાષ્ટ્રના નાસિક ધુલિયા સહિતના વિસ્તારો માંથી લાવવા પડે જેમાં 20 મજૂરોની એક ગેંગ થાય જેમાં એક મુકાદમ હોય બહારથી મજૂરોને અહીં લાવવા માટે એડવાન્સ ૨ લાખ રૂપિયા થી ૫ લાખ સુધી શરૂ થાય તેનો ત્રણ ચાર મહિના પહેલા આપવા પડે તેનો કરાર નોટરી બધું થાય તેમ છતાં ૨૦/૨૧ થી 2024 સુધીમાં મહારાષ્ટ્ર વિસ્તારના કોન્ટ્રાક્ટરો દ્વારા કરાર થયા પછી મજુર આવતા નથી કરાર મુજબના લીધેલ રૂપિયા પરત કરતા નથી આવા દરેક ખેડૂતના ૩ થી ૧૦ લાખ જેટલા હોય છે. જેની 2021 માં છેતરપિંડીની ફરિયાદ કરી ૨૦૨૨ માં બીજી ફરિયાદો કરવામાં આવી. તેમજ ૨૦૨૪ સુધી દરેક અધિકારીને ફરિયાદ કરવામાં આવે છે પરંતુ કોઈ કાયદેસરની કાર્યવાહી ન થતા મુખ્ય મંત્રી ફરિયાદ નીવારણ મા ફરિયાદ પરંતુ કશું નહીં થતાં ૧૮ ખેડૂતોના ૧,૧૫,૪૫,૦૦૦ ની શેરડી તથા ગોળ ઉત્પાદક મંડળના પ્રમુખ બાલુભાઈ ગોહિલ દ્વારા આઇજી સાહેબને સંબોધી ડી વાય.એસ.પી ચૌધરી સાહેબ ને રૂબરૂ આપેલ અને જણાવેલ કે હજુ સુધી કોઈ આરોપી ધરપકડ કરવામાં આવી નથી હજુ આમ જ ચાલશે તો ગોળ ઉત્પાદક મંડળના ખેડૂતો દ્વારા આંદોલન સાથે આત્મવિલોપન સુધીના પગલાં ભરવા પડશે જે ફરિયાદની નકલ મુખ્યમંત્રી ગૃહ સચિવ, અગ્ર સચિવ, ગુજરાત રાજ્ય પોલીસવડા ને ફરિયાદ મોકલવામાં આવી છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ