કેશોદના બાપા સીતારામ મંદિર ખાતે, તેરમો પાટોત્સવ ઉજવાયો
જુનાગઢ 30 મે (હિ.સ.) કેશોદના રણછોડનગર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ મંદિર નો તેરમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કેશોદમાં હોડીની પ્રતિકૃતિ બનાવી એમાં બગદાણા ના સંત શિરોમણી બજરંગદાસ બાપાની પુર્ણ કદની પ્રતિમા બેસાડી શ્રધ્ધાપૂર્વક પૂજન અર્ચન કરવ
બાપા સીતારામ મંદિર નો તેરમો પાટોત્સવ


જુનાગઢ 30 મે (હિ.સ.) કેશોદના રણછોડનગર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ મંદિર નો તેરમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કેશોદમાં હોડીની પ્રતિકૃતિ બનાવી એમાં બગદાણા ના સંત શિરોમણી બજરંગદાસ બાપાની પુર્ણ કદની પ્રતિમા બેસાડી શ્રધ્ધાપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે બાપા સીતારામ મંદીરના પટાંગણમાં ત્રણેક વર્ષ પહેલાં બગડેશ્વર મહાદેવ ની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને કાળ ભૈરવ દાદાની પણ સ્થાપના કરવામાં આવી છે. કેશોદના રણછોડ નગર વિસ્તાર આસપાસ રહેણાંક વિસ્તાર વિકાસ થતાં સંખ્યાબંધ ભાવિકો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે. કેશોદના બાપા સીતારામ મંદીરના પટાંગણમાં છેલ્લાં તેર વર્ષથી વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો ના આયોજન ની સાથે સાથે સનાતન ધર્મના મહત્વનાં તહેવારો ઉત્સવો રહીશો ના સાથ સહકારથી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે કેશોદના બાપા સીતારામ મંદિર ખાતે યોજાયેલાં તેરમાં પાટોત્સવ નિમિત્તે મહાઆરતી બાદ સામુહિક ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના રાજકીય આગેવાનો પદાધિકારીઓ અને સામાજિક સેવાકીય સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ ના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. કેશોદના બાપા સીતારામ મંદિર ના તેરમા પાટોત્સવ કાર્યક્રમમાં યુવાનો એ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. કેશોદ તાલુકા હિન્દુ યુવા સંગઠન ના તાલુકા પ્રમુખ અને બાપા સીતારામ મંદીરના મુખ્ય આગેવાન વિશાલભાઈ સોલંકી એ સૌ દાતાઓ સહયોગીઓ અને મહાપ્રસાદ લેવા પધારેલા નગર શ્રેષ્ઠીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો. કેશોદના બાપા સીતારામ મંદિર ખાતે બિરાજમાન બજરંગદાસ બાપા, બગડેશ્ર્વર મહાદેવ અને કાળ ભૈરવ દાદા જાગૃત ચૈતન્ય હોય ભાવિકો ભક્તોની મનોકામના પુર્ણ કરતાં હોય ભાવિકો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande