પોરબંદર, 30 મે (હિ.સ.) એક વર્ષ બાદ સાંઢીયા ગટરની કામગીરી શરૂ થઇ પોરબંદરમાં ગત વર્ષ ભારે વરસાદના કારણે પોરબંદરમાં પુર જેવી સ્થિતિ જોવા મળી હતી ત્યારે વરસાદી પાણીનો નિકાલ કરવવા ગત વર્ષે તત્કાલિન કલેકટરે રાતોરાત સાંઢીયા ગટર ઓપન કરી હતી પરંતુ એક વર્ષ જેવા લાંબા સમયથી પોરબંદરના બાલુબા શાળા નજીક સાંઢીયા ગટરની, કામગીરી ન થતાં શાળાનો મુખ્ય ગેટ એક વર્ષ સુધી બંધ રાખવો પડયો છે હવે ચોમાસુ નજીક ત્યારે મનપા અંતે સાંઢીયા ગટરની સફાઈ સહિત કામગીરી શરૂ કરતા શાળા સંચાલકો અને આસપાસના વિસ્તારમા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે 15જુન પહેલા કામગીરી પુર્ણ થશે તેમ મનપા ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya